SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ કર્મના ઉદય નિમિત્તે થતી પીવાની ઈચ્છારૂપ દુખ તે તૃષા છે (વીઆંતશયના ઉદયથી તે વેદના સહી શકાતી નથી) ૩ આયુના ક્ષીણથી તિર્યા અને મનુષ્યના દારિક શરીરમાં વયકૃત થતી દેહની જીર્ણ અવસ્થાને જરા (બુઢાપે) કહે છે. ૪ અશુભ નામ કર્મ અને અધ્યાતાદનીયના ઉદયથી વાત, - પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી શરીર સંબંધી પીડા તે રાગ છે. શુભ, અશુભ, માયાચાર અને શુભાશુભ (મિશ્ર) ભાવથી બંધાતા આયુકર્મના ઉદયથી ચાર ગતિઓમાં થતી ઉત્પત્તિ તે જન્મ છે. ૬ નર, નારકાદિ ઔદારિક, વક્રિયિક શરીરની વિભાવ વ્યંજન પર્યાયોને સાદિ–અંત થતો આયુનો વિનાશ તે મૃત્યુ છે. • દર્શનમોહનીય કર્મના ઉદય નિમિત્તે થતાં સાત પ્રકારનો જય (આલેક, પરલોક, અરક્ષા, અગુપ્તિ, મરણ, વેદના, અકસ્માત) અને ચારિત્ર મહનીય કર્મના ઉદયજન્ય થતું અસ્થિરતાપ ભય તેને ભય કહે છે. ૮ જાતિ, કુળ, રૂપ, મળ, તપ, જ્ઞાન, ઐશ્વર્ય અને સભ્યદાને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ થવી તે મદ છે. ૯ દેવ, ગુરુ, શાસ્ત્ર, તપસ્વી આદિપ્રત્યે થતે રાગ તે પ્રશરત રાગ છે અને ચાર વિકથાઓમાં કૌતુહલ પરિણામ તે અમથત રાગ છે.
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy