SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શેલ પદાર્થોને ધારણ કરવા (યાદ રાખવા) ની પ્રાપ્તિ થવી તેને દેશનાલબ્ધિ કહે છે. “તુ” શબ્દથી નરકાદિ ગતિમાં જ્યાં ઉપદેશ દેવાવાળા નથી ત્યાં પૂર્વ ભવમાં ધારણ કરેલ તવાર્થના સંસ્કાર બળથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જાણવી. ભાવાર્થ - જિનેન્દ્રદેવે ઉપદેશેલ છદ્રવ્ય, સાત ત, નવ પદાથી અને પંચાસ્તિકાય આદિને વ્યવહાર નિશ્ચય નથી યથાર્થ ઉપદેશ આપવાવાળા આચાર્યાદિકના સમાગમને લાભ તથા તેમના ઉપદેશની પ્રાપ્તિ થવી તથા તેમના ઉપદેશેલ અર્થનું ગ્રહણ, ધારણ તથા વિચાર કરવાની શકિત પ્રાપ્ત થવી તેને દેશના લબ્ધિ કહે છે. દેશનાલબ્ધિ જે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણ કહેલ છે તેને પ્રજન એ છે કે જે સમયે આત્માથી મેહનીય કર્મોને પ્રભાવ કાંઈક મંદ થઈ જાય છે અર્થાત્ જ્યારે કાંઇક કર્મોની સ્થિતિમાં અને રદયમાં મંદતા આવી જાય છે અને પરિણામોમાં વિશુદ્ધતા આવી જાય છે, તે સમયે જિનેન્દ્ર કથિત સદુપદેશામૃત મળવાથી આત્મા હિતાહિતની પ્રાપ્તિ સન્મુખ થઈ જાય છે. પરંતુ જે તે સમયે એના કર્મોની સ્થિતિ તથા રદય મંદ ન હોય તે તે દેશનાલબ્ધિનું કાંઈ પણ ફળ મળી શકતું નથી. અને જે સમયે કર્મોના ઉદયની મંદતા હોય, તે સમયે તેને સદુપદેશની પ્રાપ્તિ ન હોય તે પણ તે આત્મા કલ્યાણ કરી શકતો નથી. એટલા માટે દેશનાલબ્ધિને સમ્યકત્વની પ્રાપ્તિમાં બાહ્ય કારણ બતાવવામાં આવ્યું છે. દેશનાલબ્ધિ સમ્યગ્દર્શનના પૂર્વજ્ઞાનની અવસ્થા છે એટલા માટે સ્વાનુભવ શુન્ય હોવાથી,
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy