SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિયને ભાષા અને મન વિના ચાર પર્યાપ્તિ હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અજ્ઞી પંચેન્દ્રિયને મન વિના પાંચ સ્થાપ્તિ હેય છે સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. માટે ઉપર કહેલ છએ પર્યાપ્તિ પૂર્ણ હોય તથા વિશુદ્ધ પરિણામવાળે હેય: અર્થાત્ જેને સર્વઘાતી પ્રકૃતિઓના ઉદયને અભાવ હોય અને દેશઘાતી પ્રકૃતિઓને મંદ ઉદય હેય, એ જીવ વિશેષપણે શુદ્ધ હોય અને અત્યંત મંદ કષાયવાન વિશુદ્ધ પરિણામવાળે હાય, સાકારપગી હેય, અર્થાત્ ગુણદેષના વિચાર સહિત સાકારપગવાળાને સમ્યગ્દર્શન થવાને અધિકાર છે પણ દર્શને પગમાં સમ્યગ્દર્શન ન થાય. જે ગુણપર્યાય સહિત વસ્તુ (તત્ત્વ) છે તેને ગ્રહણ (જાણવા) રૂપ જે વ્યાપાર (પ્રવર્તન) તેનું નામ સાકારો પગ છે જેમાં વસ્તુનો આકાર પ્રગટ થઈ જાય, જેના દ્વારા પદાર્થોને વિચાર થઈ શકે, સ્વપર વિજ્ઞાન થઈ શકે તે સાકારે પગ સહિત હોય, તે જીવ સમ્યકત્વને અધિકારી છે. જાગૃતદશાવાળો હોય પણ નિદ્રાથી અચેતનને સમ્યકત્વ ઉત્પન્ન ન થાય. મદ, ખેદ અને આખો દિવસ પરિશ્રમને લઈ જે થાક લાગેલ હોય તેને દુર કરવાને માટે જે સુવે છે તેને નિદ્રા કહે છે. અર્થાત સામાન્ય શયનને નિદ્રા કહે છે. જે પ્રગાઢરૂપથી નિદ્રા આવે છે, આંખ ઉઘડી જવાથી ફરી બંધ થઈ જાય છે તેને નિદ્રા નિદ્રા કહે છે અર્થાત જે વારંવાર નિદ્રા આવે તે નિદ્રાનિદ્રા છે, જે ક્રિયા આત્માને ચિલિત કરે એને પ્રચલા કહે છે.
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy