SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ- આત્મા નિશ્ચય નથી અખંડ એક શુદ્ધ જ્ઞાનમય છે અને વ્યવહાર નયથી સંસાર અવસ્થામાં કર્મોથી ઢંકાયેલ છે. મતિજ્ઞાનાવરણકર્મના અને વીતરાયકર્મના ક્ષયોપશમથી તેમ અંગે પાંગ નામ કર્મના બળથી પાંચઈન્દ્રિય અને મન દ્વારા જે કઈ મૂર્તિક અથવા અમૂર્તિક વસ્તુઓને વિકલ્પ સહિત અથવા ભેદ સહિત જાણે છે, તે મતિજ્ઞાન છે. તે ત્રણ પ્રકારે છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી પદાર્થોને જાણવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તેને ઉપલબ્ધિ મતિજ્ઞાન કહે છે. આ લીલું છે, આ પીળું છે ઈત્યાદિ રૂપથી પદાર્થોને જાણવાને જે વ્યાપાર તેને ઉપગ મતિજ્ઞાન કહે છે, અને જાણેલ પદાર્થોનું વારંવાર ચિંતવન કરવું તે ભાવના મતિજ્ઞાન છે. એજ મતિજ્ઞાન અવગ્રહ ઈહા, અવાય અને ધારણના ભેદથી ચાર પ્રકારે છે. અથવા કેષ્ટબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારી બુદ્ધિ અને સંભિન્નત્રતાબુદ્ધિ એમ બુદ્ધિના ભેદથી ચાર પ્રકારે છે. મતિજ્ઞાન સતા અવલોકનરૂપ દર્શનપૂર્વક થાય છે. અહીં તાત્પર્ય એ છે કે નિશ્ચય નયથી નિવિકારી શુદ્ધાત્માનુભાવ સમ્મુખ જે મતિજ્ઞાન છે તે જ ઉપાદેય ભૂત છે અને તે અનંત સુખનું સાધક હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે, તેનું સાધક જે બાહો મતિજ્ઞાન છે તે વ્યવહાર નથી ઉપાદેય છે. વિશેષાર્થ- દશને પગના બરાબર ઉતર સમયમાં જે કાંઈ ગ્રહણ થાય છે તેને જ્ઞાન કહે છે. ચેતનાનું સાકાર થવું તેજ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન, વિશેષ સ્વરૂપ અનુભાવક ચૈતન્ય પર્યાય છે. છદ્મસ્થને દર્શન સમયે જ્ઞાન નથી થતું તેટલા માટે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy