________________
૧૨૩
ગયે ? જો એવું થાય તે બેડે પાર થઈ જાય. પણ એવું કંઈ પણ બન્યા વિના તેનું બધું કામ બંધ પડી ગયું એ હકીકત છે. મૃત્યુ પામેલાને કઈ ગાળ આપે તે બેલશે ખરે? અથવા લાત મારે તે ઉકારે કરશે ખરે? પહેલા તો કોઈ સળગતી દીવાસળી ચપે તો ગરમ થઈ જતે અને તેની સાથે લડી પડતો. પણ હવે તેને લાકડાની ચેહમાં આખેને આખો સળગાવી દેવામાં આવે તે પણ ગરમ થશે નહિ કે ચૂંચા કરશે નહિ. એનું કારણ એજ કે તેમાં જે જાણનારે હતું, જેનારે હતો, સ્પર્શનારે હવે, સૂધનારે હતે, ચાખનારે હવે, સાંભળનારે. હતો, બોલનારો હતા, વિચારનારો હતો, અને ઈચ્છા મુજબ ક્રિયા કરી શકનારે હતો તે ચાલે ગયે.
જે જાણવું જેવું વગેરે કાર્યો શરીરના હોત તો મડદામાં શરીર મેજુદ છે અને તે કાર્યો થવા જોઈતા હતા. પણ તે કાર્યો થતા નથી. એટલે ચોક્કસ છે કે એ કાર્યો શરીરના નહિ પણ આત્માનાજ હતા.
તાત્પર્ય કે ચૈતન્યભર્યો જીવનવ્યવહાર એ આત્માના અસ્તિત્વની મોટામાં મોટી સાબીતી છે. કોઈ પણ સમજદાર તેને ઈન્કાર કેમ કરી શકે?
કીડી, મંકોડી, માખી, મચ્છર, ભમરા વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર છે. એટલે તેનામાં આત્મા છે અને કાગળ પેન્સીલ છરી ચપુ વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર નથી. એટલે તેમનામાં આત્મા નથી.