SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬] દેશના પશ્ચિમ ન એક સનાના કમજામાં આવ્યા એટલે ભાન ભૂલ્યા, તા પાંચ ઈંદ્રિયના કબજામાં આવેા ત્યારે શું થાય ? તમે નિરોગી રહેવા ઈચ્છા છે. પથ્ય ખાવું તે તમારા હાથની ચીજ છતાં કેમ પલટો થયા ? તમારા ને તમારા વિચારો વચ્ચે ડખલગીરી કેણે કરી ? ચાર આંગળની દલાલણની ડખલિર વખતે ગુલામ બની જાવ તે પછી પાંચેની પંચાતમાં પટકાઈ જાવ તે શું થાય ? પાંચેમાં સામટા પટકાઈ પડા, ત્યાં શું થાય ? વસ્તુના આવેશ તે તે પવન સાથે-વાયરા સાથે લડનારા એટલે તે મહા વઢવાડખાર ગણાય. આપણે તો વાયરો પકડીને ચાલીએ છીએ. વિચારના વાયુને આધીન રહી આપણે ચાલીએ છીએ. વાયરો જેમ તણુખલાને ઉપાડીને ઈચ્છે ત્યાં ફેકે છે. ‘હું-હું' કરી રહેવાવાળા આત્મા, ગુસ્સા– શુમાન–પ્રપંચ- લેાભના આવેશરૂપ વાયરાની પાછળ જાય. વાયરે ભમે ત્યાં શું થાય ? પાણીના વમળમાં ખલાસી પણ વહાણ હાથમાં રાખી શકતા નથી, વિમાનીએ પણ હાથમાં વિમાન રાખી શકતા નથી. પછી આપણે આવેશના વાયરાની પાછળ ખેંચાઈએ તે આત્માનું શું થાય ? જે વાયરા પાછળ વહેતા રહેલા હાય, તેની ઈચ્છા કામ લાગે ખરી ? વાયુના વેગમાં પડેલા પદાર્થનું અવસ્થાન નિયમિત હાય નહીં. ગુસ્સાદિકના વાયરામાં ડે, તેનુ અવસ્થાન નિયમિત શી રીતે રહે? પછી બીજાને ઢોષ દેવા નકામા છે. ચાર વેગેાના વાયરા પાછળ ઘસડાઇએ પછી ફળ આપણે ભાગવવાં પડે તેમાં નવાઈ શી ? કુપથ્ય કર્યું, એટલે ઉધરસ વધે. સાકર આપણે ખાઈએ અને મીઠાશ લગાડ નાર ખીજો જોઈએ. તે ન અને. પાપ પાતે કરે અને પાપનાં ફળ બીજો આપે, તે મને જ નહીં'. પદાના સ્વભાવ ન સમજે, તેને આડાઅવળું ખેલવું પડે. તેવી રીતે પુણ્યકર્મના, પાપકમના સ્વભાવ સમજે તેને પુણ્યથી થતી સદ્ગતિમાં ખીજાને લાવવાની જરૂર ન સમજે. પાપથી થતી દુર્ગંતિ–તેમાં બીજાને લાવવાની જરૂર નથી. કરેલાં પુન્ય-પાપ, સ્વભાવે જ ફળ આપે છે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy