SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦] દેશના મહિમા દર્શન ગોરીંગને નીમ્યો. આ તે એક વ્યક્તિ છે. ત્યારે જિનેશ્વર ભગવાન, હું જ જિનેશ્વર છું અને હું એમ નહીં, તમે પણ જિનેશ્વર થઈ શકે છે, જિનેશ્વર થવા માટે સાધન બતાવે છે, પ્રેરે છે. જ્યાં દેવ થવાની છૂટ નથી, ત્યાં તેનાં સાધન, પ્રેરણું ક્યાંથી હોય? કેવળ જિનેશ્વર ભગવાનનું શાસન એવું કે જેમાં સર્વને સમાન હક્ક મળે છે, પછી લાયકાત એછી હોય તે દેવ ન થાય તે જુદી વાત છે. અહીં બધાને લાયકાત પ્રમાણે ફળ મેળવવાની છૂટ છે, તમે દેવ થઈ શકે છે. એ કેવળ જૈનશાસન બોલી શકે છે. હું દેવ થયે, એ થયેઃ તમારે કોઈને દેવ થવાનું નહીં, તે બીજા મતમાં. અહીં તો બધાને છૂટ છે. અહીં વર્ણજાતિ-વ્યક્તિભેદ વગરે દેવ થવામાં નહીં. | સર્વ જીવોને સ્વતંત્ર થવાને માટે છૂટ આપનાર હોય તે કેવળ જૈન શાસન જ, કેમકે-જૈને જ એ માન્યતાવાળા છે કે જીવ જ પિતાનાં કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર છે. જૈન શાસન સિવાય જીવને જવાબદાર અને જોખમદાર ગણવા કેઈ મત તૈયાર નથી. “મા તુજનેરા: આ અજ્ઞાની છવ, પિતાનાં સુખ દુખ માટે સમર્થ જ નથી. તે અજ્ઞાની છે, તે મૂર્ખ છે. કોઈ મનુષ્ય, મૂર્ખમાં જવાબદારી મૂકે ખરે? એમ કહી એ લકોએ જીવેને પહેલેથી જ અજ્ઞાની માની લીધા ! કેટલી વખત માણસને જવાબદારી, ને જોખમદારી જૂદાં પણ હોય છે, તમારે ખાતે ને તમારા જોખમે ન પણ હોય. જવાબદારી હોય અને જોખમદારી ન હોય તે કંઈ નહીં, પરંતુ આ તે જવાબદારી ને જોખમદારી બંને ન હોય! નાના છોકરાના નામે વેપાર થાય તેમાં ખોટ જાય તે કોને જાય ? જવાબદારી એજંટની, જોખમદારી શેરહોલ્ડરની જવાબદારી ને જોખમદારી બંને જુદાં છે. પણ જૈનશાસન સિવાયના દર્શનવાળાઓએ પહેલેથી મીંડું મૂકી દીધું કે-આ અજ્ઞાન આત્મા, આમાં જાણે જ નહીં. જાણ્યા વગર જવાબદારી મૂકે નહિ. એનાં સારા કાર્યનું ફળ દેવલેક, ખરાબ કાર્યનું ફળ નરક.દેવલેક જાય તે ઈશ્વરની
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy