SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [૩ય ૫. કાર્યમાં વિધન અને સમ્યકત્વ દીક્ષા લીધી કે અંતરાય ઊભું થયું. તપસ્યા વરસની કરી ન હતી, વરસ લગી ગોચરી ન મળી–અંતરાયના ઉદયે. ભગવાન મહાવીર મહારાજા ત્રીસ વરસ ગૃહસ્થપણામાં રહ્યા. અંગુઠાથી મેરુ કેપિત કર્યો. વેતાલને બાળપણમાં મુઠ્ઠીમાત્રમાં દબાવ્યું તેવા સમર્થ ભગવાનને દીક્ષા લીધા પછી તરત જ ગેવાળીઓ મારવા -આ છે. नाकारण भवेत्काय' । अनुग्रहार्थ स्वस्यातिसर्गा दानं । તેનું વર ત્રીશ વરસ સુધી કયાં ગયું હતું? શેવાળીઆને ત્રીશ વરસ સુધી વરની વસુલાત ન સૂઝી ! દીક્ષા લીધી તે જ દહાડે સૂઝી! આ બે દષ્ટાંતથી નકકી થાય છે કે-કલ્યાણકારી કાર્ય આરંભીએ એટલે વિનને નેતરું. રસોઈ કરીએ ત્યારે જ કાગડા કૂતરાને ભય. રાઈ ન કરતું હોય તેને કાગડા કૂતરાઓને ડર હેત નથી. કલ્યાણકારી કામ કરનાર વિદનેને નોતરે જ દે છે. વિદને આવવાનાં જ છે ને તેને તેડીને મારે કાર્યસિદ્ધિ કરવાની છે. દરેક કાર્ય કરનારને મુસિબતને નેતરાં દેવાનાં હોય છે. કાર્ય કરનાર બનવું, કાર્ય કરતાં થવું તે પહેલાં એ નિશ્ચય કરે કે હું મુસિબતેને–વિદનેને–અંતરાયને નેતરાં દઉં છું. ઉઘરાણી કેને ત્યાં? કોથળીમાં નાણાં હોય તેને ત્યાં. લઈ શકાય તેમ ન હોય તેવા સામે કોઈ દવે નથી કરતા. એવામાં જો તે કમાયે હોય તે બધા ઉઘરાણુએ આવે. કમાણુએ ઉઘરાણું કરનારને નેતરું દીધું. અહીં પણ જે કંઈ કાર્ય સારું હોય, તે સારું કાર્ય વિદન લાવનાર છે, મુસિબતેને નેતરું દેનાર છે. તે કાર્ય કરનારે હિંમત છેડી દેવી? એ મુસિબતના ડરે ઉત્તમ કાર્ય બંધ કરવાનું કેઈને હેતું નથી. “મુસિબતેને સામને મારે કર, આડખીલીઓને વિણ વીણુંને કાઢી નાખવી. પણ મારે કાર્ય કરવું. એ નિશ્ચય હોય તે જ ઉત્તમ કાર્ય થઈ શકે દુનિયામાં પણ કાર્ય કરનારને વિદનની સંભાવના રાખી, તે વિનને દૂર કરી કાર્ય કરવાનું હોય છે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy