SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. દુર્લભ મનુષ્ય જીવનનો સદુપયોગ જાણવાની, પછી વિચાર કરવાની તાકાત મળી. નાના બાળકને કેહીનૂરની કિંમત ન હોય પણ સમજણું થાય ત્યારે તે કિંમત સમજવી જોઈએ ને? આટલી સ્થિતિએ આવ્યા, શબ્દ પારખવાની તાકાત વધારે છે. ભૂલા પડયાને રસ્તે કૂતરા વગેરે જાણી શકે છે. એક ગામથી બીજે ગામ જવા માટે તે રસ્તે નહિ ભૂલે તેવી તેનામાં તાકાત છે. સ્પર્શ, રસ, ગંધ રૂ૫, શબ્દ, વિચાર કરવાની પણ તાકાત તેનામાં છે. હાથી, ઘોડા, કૂતરામાં વિચાર કરવાની તાકાત છે. પિષક કે પ્રતિસ્પર્ધી, શેરીને કે બહારને, ચરકે શાહુકાર-તે સમજી શકે છે. તેમાં પણ મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે. તેના તેના કારણુમાં કહેવું પડયું કે–મનુષ્યપણું કેઈની મહેરબાનીથી મળેલી કે આપેલી ચીજ નથી. મનુષ્યપણું એ સ્વયં મેળવેિલું છે, સીધી દષ્ટિએ આપેલું હોય તે તેના ગુણ ગાઈએ. વેપારમાં બે પૈસા મળ્યાં તો તેને યશ ઈશ્વરના માથે નાખે. પણ આડકતરી રીતિએ વિચારીએ તે જેને પૈસા ન મળ્યા તેને તે ઈશ્વરની કફ મરજી ને? બે છેકરા બાયડીને મળે તે ઈશ્વરે આપ્યાં એમ કહે છે, પણ મરણ થયું તે શું ઈશ્વરે લઈ લીધાં? તેમાં તેની કફ નજરને ? તારા હિસાબે તેની મહેરબાની જણાવતાં અર્થ કયે થયો? એક વકીલ પ્રેકટીસ માટે સોલીસીટરને ત્યાં આવ્યું છે. સોલીસીટરે તેની પરીક્ષા કરવા એક પ્રશ્ન કર્યો કે આટલી લીટી કરું છું---આ લીટીને કાપવી નહિ, વધારવી નહિ, અડકવું નહિ પણ તેને નાની કરી દેવી, શી રીતે ! આવવાવાળે વકીલ અકલવાળે હતું. તેણે પેલી લીટીની પાસે મેટી લીટી કરી. અડકયા વગર, કાપ મેલ્યા વગર પિતે મેટી લીટી કરી એટલે પિલી લીટી આપોઆપ નાની થઈ ગઈ! જે ઈશ્વરે બે છોકરા આપ્યા તે તેની ઉપર ઈશ્વર મહેરબાની કેમ નથી રાખતે? તે મનુષ્યપણું કેઈએ આપ્યું નથી, પણ આપણે મેળવેલું છે. મનુષ્યપણું મેળવવાના ઉપાયે : સ્વભાવથી મંદકવાય. પયઈ તણું કસાઓ દાણરૂઈ મજિમ ગુણે” અર્થ: પાતળા કષાયવાળે-મનના વેગે ઉપર કાબૂ ધરનાર.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy