SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮] દેશના મહિમા દર્શન વિરાધક શબ્દ વિચારે. જ્ઞાનવાળાને દેશ-આરાધક ન કહો. દેશઆરાધક કહેવું હતું ને? તે કેમ ન કહ્યું? જ્ઞાનવાળો ત્યારે કહેવાય કે એની દરિટએ જે નથી બનતું તેટલી વિરાધના કરી રહ્યો છું. ચાર આની વિરાધના બને છે તે ઉપર લક્ષ્ય હોય તેથી એકલા જ્ઞાનવાળાને વિરાધક કહ્યો. વિરતિના લક્ષ્ય વગરનાને વિરાધક ગયે એકલી ક્રિયા કરવાવાળાને સર્વનું જ્ઞાન નથ. શું મારું કર્તવ્ય ? આત્માસ્વરૂપ સંપૂર્ણ સ્થાન આરાધન કયું? તે લક્ષ્ય નથી. “આટલું હું કરું છું.” કિયાવાળાને “આટલું કરું છું ને જ્ઞાનવાળાને “આટલું ઓછું કરું છુ, તે લક્ષ્ય છે, જ્ઞાનવાળાને લક્ષ્ય સંપૂર્ણ પર છે. આટલી મારામાં ઓછાશ છે, તે જ્ઞાની માને, કિયાવાળે સંપૂર્ણ દૃષ્ટિએ પહોંચે નથી. આટલું કરું છું તે કલ્યાણ કૂવાના દેડકા માફક સર્વ આરાધકને ઉપચરિત કેમ કહ્યું? દેશ-વિરાધક જ્ઞાન કહેવું હતું ને? છતાં ત્યાં દેશવિરાધક જ્ઞાન કેમ ન બોલાયું? તે અહીં જ્ઞાન કયું લીધું ? તે જ જ્ઞાન લીધું છે, કે જેમાં ચારિત્રની નિસરણ માંડી છે. ઉપર ચઢવા માંડયું છે, ચઢવા પૂરતી વાર છે એ જ્ઞાની લેવાને છે. ચારિત્રની ભાવના વધે અને ચારિત્ર તરફ ધસેલે પણ ચારિત્ર મેળવી શક્ય નથી. ભરત મહારાજા આરિસા ભુવનમાં હતા, વીંટી, મુગટ અને હારવાળા હતા તે વખતે અનિત્ય ભાવના ભાવતાં વિરતિ તરફ ધસ્યા છે ને તે સર્વ–આરાધક બને તેમાં નવાઈ નથી. ચારિત્રના ચકકરે ચડે છે, હજુ ચડી ગયે નથી. ચડવા માંડે છતાં પણ ચડ નથી તે જ્ઞાનવાળે સર્વ–આરાધક ગણી શકાય તેમાં આશ્ચર્ય નથી. આથી શંકાકારે એ જણાવ્યું કે જ્ઞાન સર્વ–આરાધક ચીજ છે છતાં તેની કિંમત કેમ ઘટાડાય છે ? સર્વ–આરાધકપણું ચારિત્રરૂપી ફળની અપેક્ષાએ ગયું છે. અહીં ચારિત્રથી વિમુખ થએલાને આરાધકપણું હેય નહિ. અજ્ઞાની તે મિથ્યાષ્ટિ છે. તે ચારિત્રના ચક્રથી અન્ય દિશામાં ગએલા હોય છે તેથી તેને અજ્ઞાની ગ છે, ચારિત્રમાં રહેલાને અજ્ઞાની ગણવામાં આવ્યું નથી. હવે ચારિત્ર ફળરૂપ, સાયરૂ૫ અને કાર્યરૂપ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy