SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ [દેશના મહિમા દર્શન પૂછાય છે અને તેને ઉત્તર પણ સારા રિતિક જ્ઞાનનું ફળ વિરતિ છે એમ દેવાય છે. જ્યારે ફળ વિરતિ છે તે પછી એ ચોક્કસ સમજાય છે કે જ્ઞાન એ વિરતિરૂપી ફળનું સાધન હોવાથી જ્ઞાન સાધન કિંમતી છે. આ વાત મગજમાં લેશે એટલે પદ નાળ તારા એ પદ સમજાશે. “પઢમં નાણું તઓ દયા” આ શબ્દ હરકોઈ બોલે છે, પણ એ વાક્યમાં તવ કયું છે? તે સમજતા નથી. એ જ તત્વ બતાવ્યું કે જ્ઞાન એ સ્વતંત્ર ફળ દેનાર ચીજ નથી, સ્વતંત્ર સાધ્ય પણ નથી અને ફળ નથી. જ્ઞાન પછી દયા એટલે સંયમ, વિરતિ, વ્રત, પચ્ચફખાણ આવે ત્યારે જ જ્ઞાનનાં ફળ આવ્યાં કહેવાય. જ્ઞાન આવ્યું છતાં પણ જ્ઞાન એ સાધ્ય કે ફળ નથી. ફળ તરીકે સાધ્ય કઈ ચીજ તે જવાબમાં દયા કહેવી પડશે. તે માટે મેં ના તળે રા પહેલું જ્ઞાન અને પછી દયા કેમ કહી? તે સમાધાનમાં સમજવું જોઈએ કે જગતમાં પહેલાં કારણ હોય પછી જ કાર્ય હેય. જ્ઞાન પહેલું એટલે જ્ઞાનની કારણદશા. પછી દયા=સંયમ અર્થાત્ સંયમ કાર્ય–દશા. જગતમાં પણ પહેલે ચૂલે સળગાવવું પડે અને પછી રસોઈ થાય. પહેલાં લગ્ન ને પછી પુત્ર, પહેલાં વૃક્ષ ને પછી ફળ. પહેલાં ચૂલે અને પછી રઈ કહેવાથી એકલા ચૂલાને વળગવાવાળા ભૂખે મરે. ફળની ઈચ્છાવાળો ઝાડની ડાળને મરડીને ફળ તેડના તે પણ બીજને ભૂલતું નથી. એકલા ઝાડને ઊભું રાખનારે સુજ્ઞ ગણાતું હોય તે પણ પહેલાં કહ્યું તેને અર્થ કે એ સમજવું જોઈએ. જ્ઞાન એ સાધનદશા છે. વિરતિ સાધ્ય દશાની ચીજ છે. ચૂલે સળગાવવામાં ૧૦૦ ચૂલા સળગાવે, એકે ચૂલે રાઈ ન કરે તે સળગાવનારની કિંમત કેટલી? ફળ તરફ દરકાર ન રાખનારે જ્યારે ચિત્ર વૈશાખમાં આબે વેડાઈ જાય છે તેની તે દરકાર કરે નહિ અને મારે આંબે સ્થિર રહેવું જોઈએ–આવું કહ્યા કરે એની અક્કલની કિસ્મત કેવી ગણવી ? રસોઈ વગર ચૂલાનું સળગાવવું, કેરીને ભૂલીને એકલા આંબાનું રક્ષણ એ ફેગટ મજૂરી છે. સાધ્ય શૂન્ય
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy