SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧. સાધન અને સાધ્ય [૪૧૭ વાહન મળે તે સુખ મળે. આ જીવને પ્રેરણા કરનાર, વારંવાર ઉપદેશ કરનાર, ઉત્સાહ વધારનાર આચાર્ય ન મળે તે શાસન અને સિદ્ધપણું એ બને નકામા છે. લુલિયાને બેએ બાળનાર છે. જે આચાર્ય ન મળ્યા હોય તે અરિહંતે કહેલે માગ ને સાધ્ય–સિદ્ધ પણું-એ બે બળતરા કરાવનાર થાય. અનુપમ સાધનસ્વરૂપ આચાર્ય ભગવતે ગણધર મહારાજે આપણા ઉપર કેટલે ઉપકાર કર્યો છે? તેમણે અંગેની, પૂર્વોની અને શાસ્ત્રોની રચના ન કરી હોત અને સાધુને સપ્રવર્તનમાં ન ચલાવ્યા હોત તે, અરિહંતે મોક્ષમાર્ગ બતાવ્યો હોય કે સિદ્ધપણું સમજાવ્યું હોય તો પણ આપણા માટે તે કામ ન આવત. ગણધર મહારાજે શાસ્ત્ર ગૂંથી, આપણને પ્રમાદ ટાળી, માર્ગમાં પ્રવર્તાવ્યા. એ બે પગ આચાર્યો આપ્યા. તીર્થંકરે આંખ આપી. આંખેથી સુંદર દેખ્યા છતાં પગ ન મળ્યા હોય તે દાવાનળમાં સપડાએલે પાંગળ કઈ દશામાં હોય તે નીકળવાને રસ્તે દેખે છે. બહારની મોજ પોતે જાણે છે છતાં તે પાંગળાનું થાય શું ? જે આચાર્ય ન હોય તે અરિહંતને ઉપદેશ સાંભળી, સિદ્ધનું સુખ સાંભળીએ તે બળી જઈએ. નાનું રેકડા જેવું સાધન મળી જાય તે લે આંખને વધારે આભાર માને કે રેંકડાનું વધારે આભારીપણું માને ? ખરેખર બચાવ્ય રેંકડાએ, તેમ જિનેશ્વર આગળ અને સિદ્ધ આગળ આચાર્ય ભગવંતે કંઈ ગણતરીમાં નથી, છતાં આપણને બચાવનાર કેવળ સૂરીશ્વરજી મહારાજ છે. આથી ત્રીજા પદમાં શાસ્ત્રકારોએ અરિહંતના સમાન આરાધવાના કહ્યા. આચાર્યાદિક ત્રણ પરમેષ્ઠી કેમ? . આંખ લૂલાને ઉપકારી છતાં તેને નાને બળદ અને નાનું ગાડું પણ ઉપકારી છે, તેમ આચાર્યો જે ન મળ્યા હોત તો તીર્થક થયા કબૂલ, સિદ્ધ કબૂલ, પણ ગણધર રૂપી આચાર્યની પરંપરા ચાલી ન હેત તે ? તે શાસન ચાલુ ન રહ્યું હોત. અર્થાત્ અરિહંત, સિદ્ધ થયા ન
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy