________________
ફૂ8GBS
સર્વાગ સંપૂર્ણ સુખ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSBE
(૨૦૦૦ મહા સુદ ત્રીજ શનિવાર ડાઈ.) પુન્યાનુબંધી પુન્ય બાંધવાના રસ્તા, दया भूतेषु वैराग्यं विधिवद् गुरूपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्य पुण्यानुबन्ध्यः॥ १ ॥
બધી ઈચ્છામાં જડ સુખની છે. શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરિશ્વરજી ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે સંસારમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે મત કેળવવા જોઈએ. દરેકના મગજ જુદા જુદા હોય છે. લેકમાં ભિન્ન ભિન્નચિ હોય છે. કેઈને કુટુમ્બની, કેઈને કીર્તિની, કેઈને લાડીની, કેઈને વાડીની એમ અનેક પ્રકારની રુચિ હોય તેમ જીવને પણ જુદા જુદા વખતે જુદી જુદી રુચિ હોય છે.
રૂચિઓ અપાર છે, છતાં પણ જેમ જગતમાં બધાને એક મત પણ હોય છે. જેમ કે-ભૂખ લાગે ત્યારે બધાંને ખાવાને જ મત થાય છે. જુદી જુદી રુચિ, ઈચ્છા, મને રથ, અભિલાષ છતાં, એ બધા માત્ર ડાળાં-પાંદડાં છે. રુચિનું મૂળ એક જ છે. આંબાનાં ઝાડને ૧૫૦ ડાંખળાં હોય, પણ મૂળ એક જ. ખંધ એક જ. ડાળાંડાંખળાં જુદાં છતાં મૂળ એક જ હોય, તેમ ઈચ્છાદિક દરેક જીવમાં જુદાં હોય છે, છતાં સહુને ઈચ્છા એક જ.
સહુને સુખની જ ઈચ્છા. કુટુમ્બ-ધન-મકાન-લાડી–વાડી–ગમે તે ઈચ્છા હોય પણ તે દરેકનું મૂળ શું? એક જ મૂળ કેમને સુખ થાય. તે માટે જંગલમાં જાય, વચમાં લૂંટારાઓ મળે તે બચવા