SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ કર) દેશના મહિમા દર્શન પરમેશ્વરની શ્રદ્ધા રાખવા માટે તમારી પાસે સાધન હોય તે માત્ર મૂર્તિ . પ્રભુમૂર્તિ જ આદર્શ છે. તમારે આત્મા બનાવવા માંગે છે, તેવું રૂપ દેખી લે. મૂતિની જેમ ફેટામાં એક નિયમ નથી. માણસ, જે હોય તે જ ફેટો પડાવાય, એ નિયમ નથી. વિદૂષકે, અનેક પ્રકારના નવનવાં વેષે પહેરીને અને વિવિધ આકૃતિઓ ધરાવીને છબીઓ પડાવે છે, પુરુષ, સ્ત્રીના આકારમાં છબી પડાવે છે. છબીથી નકકી ન થઈ શકે કે તે આ જ માણસ છે. દેવ, કોધ વગેરેવાળા ન હોય, તેટલાં માત્રથી દેવત્વને નિશ્ચય ન કરાય. તેટલા માટે તેમનાં વચને જેવાનાં કે જે છાયા પાડનારી ચીજ છે. વચન બેલનારનું શરીર કીકીમાં આવે છે તેમ નહીં–બલનારની છાયા પણ પડે છે. તેમ નહીં, પણ તેમના વચનથી તેમનું આખું જીવન આપણુ કાળજામાં આવે. “ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે, એમ નહીં. કયા વકતાનું વચન શ્રોતાને અસર કરે ? સાંભળનારના કાને વક્તાના શબ્દ આવે, આંખમાં વક્તાની તસ્વીર આવે. તેવી જ રીતે સાંભળનારનાં હૃદયમાં વક્તાનું જીવન આવે. તે ત્રણે શ્રોતા ઉપર એક રૂપે આવે તે જ શ્રોતાને વક્તાનું વચન અસર કરે. જ્યાં સુધી આ ત્રણ એકરૂપ ન થાય ત્યાં સુધી વકતાના વચનની અસર ન થાય. નાટકીયા ચાહે જેટલાં બૈરાગ્યવચને કહે, તેથી કેઈ દીક્ષા નથી લેતું. કેમકે–તેનું તે બોલવું ભાડૂતી પણાનું છે, તેથી અસર થતી નથી. દેવનું સ્વરૂપ-વર્તન, મૂર્તિ દ્વારા વિચારીએ તેમાં મુખ્ય આધાર કર્યો? શાસ્ત્ર. એ જ મૂર્તિની શંકા ટાળનાર-એ જ દેવનાં સાચાં જીવનને જણાવનાર. તેટલા માટે હરિભદ્રસૂરિજી મહારાજ, જેએમાં મેહ, રાગ અને દ્વેષ એ ત્રણે રહિત, સદવર્તન હતું અને જેઓએ શા દ્વારા આ જગતને ધર્મમાર્ગ–કલ્યાણને રસ્તો બતાવ્યું.” એમ અષ્ટકમાં કહે છે. શાસ્ત્ર કેવું? વકીલ કે બારીસ્ટરની ઓફિસ આગળ બેડ, કેસની સલાહનું હોય, દાક્તરના દવાખાના પાસે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy