SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. હાડકાં ચાટવા જેવું દુનિયાનું સુખ રિલમ અનાદિકાળથી આ જીવે સ્પર્શ–રસના-નાક-ચક્ષુ-શ્રોત્રથી થતાં સુખને સુખરૂપ ગણ્યાં હતાં. પુદ્ગલનાં સુખને સુખ ગયું. કૂતરું હાડકું ચાટે, તેને ખાંચે તાળવામાં વાગેપિતાના તાળવામાં લેહી નીકળે છે, તેને સ્વાદ આવે એટલે જાણે કે હું હાડકાનું લેહી ચાહું છું. તેમ ઈન્દ્રિયેથી સુખને ભ્રમ થાય છે. તેમ આપણું આત્માને પુગલમાંથી સુખ મેળવવાને ભ્રમ થાય છે. સુખ આત્માનું કે પુગલનું? સુખધર્મ આત્માને છે. પુદ્ગલને સુખધર્મ નથી. આત્માના સ્વરૂપ સિવાયનું સુખ કૂતરા વડે કરડાતાં હાડકાનાં લેહી સમાન છે. તે માટે કહે છે કે-વિચારની ક્રાન્તિની પ્રથમ જરુર છે. આજ સુધી આપણે “પુદ્ગલ દ્વારા સુખ મેળવીએ છીએ,” એમ માનતા. વિચારની ક્રાન્તિ થાય એટલે હવે પુદ્ગલ દુઃખ દેનારા છે–પછી તે ચાહે દેવલેકનાં છે કે મનુષ્યભવનાં હે; પરંતુ પુદ્ગલે દુઃખ આપનારા છે. આ વિચારની કાન્તિ તે જ સમ્યગ્ગદર્શન. | મેહની મજબૂત ગાંઠ ભેદાય ત્યારે સમતિ થાય પરંતુ એ પણ જોડે જ બોલે છે કે-૭૦ કેડીકેડની સ્થિતિ હોય ત્યાં નહીં, પણ એક કેડીકેડ બાકી રહે ત્યાં ગાંઠ. જે ઘરમાં રહેતા હોઈએ તે વખતે તેની ખટક ન રહે, પણ મ્યુનિસિપલ હુકમ આવે કે–ઘર પાડી નાંખવું પડશે તે વખતે અટક લાગે. ઘર આટલું ઉપયોગી–કિંમતી–જરૂરી વગેરે તે વખતે ક્યાંથી સૂઝયું? કહે કે–વિનાશની વખતે ઉપયોગિતાનું ભાન વધારે થાય. વિનાશ પામે તે વખતે તેની ઉપયોગિતા ખ્યાલમાં આવે. જે પિદુગલિક વિચારોના નાશને વખત છે તે સમજણને વખત છે. તે વખતે ગ્રંથી ભેદાય તેને નિશ્ચય થાય કે–આત્માનાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે જ આત્માની ચીજ મૂકી દેવી પડે તેવી નથી. મોક્ષમાં રહેવાવાળી છે. તે સિવાય ભવાંતરમાં કે મેક્ષમાં રહેવાવાળી ચીજ નથી. તે જ સમ્યગદર્શન. આપણે વિચારની આ કાન્તિ સ્વમમાં પણ સાધતા નથી, માટે શાસ્ત્રકાર કહે છે કે સમ્યગ્ગદર્શન મનુષ્યભવમાં મેળવવા લાયક.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy