SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ર) દેશના મહિમા દર્શન મનથી ખાજાને ભૂકે એટલે કંઈ નહીં. બાદશાહના ભાણામાં ભૂકે ન પીરસાય, તેના ભાણામાં તે આખું મૂકવું પડે. ખાતાં ખાતાં ભૂકે બાકી રહે તે તે તેને ફેંકી દેવાની ચીજ. આથી બાદશાહને ખબર નથી કે ખાજાને ભૂકે દુબળાને તે દેખાય દુર્લભ. આપણે મનુષ્યપણુમાં ઉફ્ફ-ટેવાયા, તેથી તે સિવાયની અવસ્થા ખ્યાલમાં નથી. એટલે આપણને મનુષ્યપણુની કિંમત–દુર્લભતા ખ્યાલમાં નથી. આપણે પણ મનુષ્યપણું પામ્યા પછી સમજણ થયા. આવી આપણું સ્થિતિએ આપણને મનુષ્યપણું મળ્યું, એ બાદશાહના ખાજાના ભૂકા જેવું છે. જગત સામું દષ્ટિ કરે ત્યારે આ લાગતે ખાજાને ભૂકે દેખ પણ મુશ્કેલ છે. આપણે પણ મનુષ્યભવની મુશ્કેલી કયારે સમજીએ? કીડી મકેડી, પશુ-પંખી, ઝાડ-પાંદડા વગેરે તમામ છે, એકેન્દ્રીવિકલેન્દ્રી પશુ પંખી કેમ? અને આપણે મનુષ્ય કેમ? આ વિચાર આવે તે જ “આટલા બધાને જે નથી મળ્યું તે આપણને મળ્યું છે. આપણને ગુરુષ' એટલે કેઈએ મનુષ્યપણું આપેલું નહીં, પણ મળી ગયું છે. દુકાન કરે, મુનિમ રાખે, જવાબદારી મુનિમની; જોખમદારી શેઠની. ઠપકે મુનિમને મળે. જેવી રીતે દુનિયામાં તેવી રીતે જીવના કૃત્યની જવાબદારી–જોખમદારી. તમને મનુષ્યભવ કેઈએ આપ્યું નથી, તમને જ મળે છે. તમે સારાં કૃત્ય કર્યા તેથી તમને મનુષ્યભવ મળે છે. મહાભાગ્ય યેગે મનુષ્યપણાના આયુ-ગતિ બાંધીને મનુષ્યપણું મેળવી શક્યા. આ જગતમાં જન્મ માતાની મરજીનો નથી. “ફલાણું જીવને કૂખમાં લઉં એમ ધારીને તે જન્મ આપતી નથી. પિતા પ્રેમ ધરીને કેઈ જીવને ખેંચી શકતું નથી. તેમ છે આ માતા સારી, “આ પિતા સાથે માટે તેની કૂખે કે વંશમાં જઉં તેમ ધારી જન્મ લીધે નથી. મનુષ્યજન્મ કોના પ્રભાવને? કર્મના–પુણ્યના પ્રભાવને જન્મ. જેવા પુણ્ય બાંધ્યા હોય તેવાં પુણ્ય ભેગવવાને સ્થાને આ જીવને જન્મવાનું થાય છે. આ જીવને બીજે કઈ જન્મ આપતું નથી તે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy