SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪) દેશના મહમા દર્શન શક્ત નથી–મેળવ્યું નથી તેમજ મેળવશે નહીં. કઈ પણ કાળે, ક્ષેત્રે કેઈપણ અવસ્થામાં મનુષ્યપણુ સિવાય મોક્ષ મેળવી શકે જ નહીં. એ વાત શ્રદ્ધાનુસારી માની લે, પરંતુ જગતમાં સર્વ જીવે શ્રદ્ધાનુસારી નથી હતા. શ્રદ્ધાનુસારી તે કે-“શાસ્ત્રકારે જે કહ્યું તે માનવું, તેમાં યુક્તિ કે બુદ્ધિ ચલાવવાનું કામ નથી. મારા કરતાં વિશિષ્ટ જ્ઞાની પુરુષએ કહેલું છે, તે માનવા લાયક જ છે.” આવી શ્રદ્ધાવાળા આત્માઓ કથન માત્રથી માની લે, પરંતુ સર્વ જી સરખી ધારણાવાળા હોતા નથી. કેટલાક પૂણ્યાત્માઓ આવા શ્રદ્ધાળુ હોય, પણ કેટલાક સારી સ્થિતિમાં ન આવ્યા હોય તે સર્વજ્ઞની વાતમાં પણ તર્કને જરૂર માગે. નારકી, મેક્ષ ન મેળવી શકે તેનું કારણ? દેવતા શક્તિથી-જ્ઞાનથી –સામર્થ્યથી મનુષ્ય કરતાં અધિક છતાં તે દેવતાઓ મેક્ષ ન મેળવી શકે તેનું કારણ? એવા તકનુસારીઓને ત્રણ ગતિમાં મેક્ષ નથી મળતે એમ તર્કથી નક્કી થાય, ત્યારે મનુષ્ય ભવ જ મોક્ષની નિસરણું એમ મનાય. તેઓને એ ત્રણ ગતિથી મિક્ષ નથી મેળવી શકાતે એ નક્કી થવું જોઈએ. શંકાકારને બેલતે અટકાવ ન જોઈએ, પૂરી શંકા કરવા જ દેવી. અટકાવવામાં આવે તે તે બોધ પામે જ નહીં. નારકી, તિર્યંચ અને દેવતાને પણ મોક્ષ નહીં થવાનું કારણ શું? એ સમજાય તે મનુષ્યભવ મોક્ષની નિસરણી છે એમ મનાય અને તેની કિંમત સમજાય તથા તેને સદુપયોગ કરવા માટે પ્રયત્ન કરે સૂઝે. નારકીની સિદ્ધિ બીજા પાસેવાળાએ કહ્યું કે “એ વાત પછી. મનુષ્યપણું એ જ મેક્ષની નિસરણી, પણ તે પહેલાં સિદ્ધ કરે કે નારકી વગેરે માનવા જ શાથી? આ નારકોની જેમ દેવતાને અંગેય શંકા રહે, પણ તિષચક મનુષ્ય માટે પ્રત્યક્ષ વિષય છે, તેથી દેવતા હજુ મનાય, પણ નારકી શી રીતે માનવા ? નારકી છે, ઉગ્ર પાપ કરનારને નરકમાં જવું
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy