SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦] - દેશના મહિમા દર્શન ધર્મ કિંમતી ઠર્યો. એટલે તેની નકલને પાર ન હેય માટે અસલ ધર્મ, તપાસીને લેવું જોઈએ. ધર્મ તપાસાય તે દેવગુરુની પરીક્ષા થાય. કેઈપણ મતવાળે પોતાના દેવને અધમ માનવાવાળા નથી. આચરણ અધર્મનું હોય તે પણ ધમી તેને માને ત્યાં લીલાને પડદે નાંખે છે. વાત એ કે-માનેલ દેવને અધમી નહીં માને. ગુરુને વિષયી દેખે, તેમાં તેને–ગોકુળના બાળક માને. કેમ? તેનાં મોહજન્ય આચરણને લીલાને પડદો નાખે છે. દેવગુરુ અધમ દેખાતા હેવા છતાં તેની ફીકર ન હતા તે તેઓ લીલાને પડદે નાખે ખરા ? દેવને આધાર ધર્મ ઉપર, ગુરુને આધાર ધર્મ ઉપર. ધર્મ તે ધર્મસ્વરૂપ છે, માટે દેવગુરુના વિચારમાં પ્રથમ ધર્મ સમજવાની. જરુર છે. ધર્મ સુંદર મળે તે દેવગુરુ પણ સુંદર મળે, માટે દેવગરની પરીક્ષા પહેલાં ધમપરીક્ષા પ્રથમ કરવી જોઈએ માટે ધર્મના હેતુ–સ્વરૂપ અને ફળ તરીકે ભેદે વિચારવાની જરૂર છે. અન્યથા ફળની ઈચ્છા સિદ્ધ નકકી જેવી છે, કેમકે જે ધર્મ હોય તે ફળની ઈચ્છા ન હોય તે પણ ફળ મળવાનું જ છે, માટે ધર્મમાં ફળની ઈચ્છા નકામી ચીજ ગણી. માત્ર પ્રવૃત્તિને અંગે ભલે ઇચ્છા ઉપયોગી હોય. ધર્મના હેતુ, સ્વરૂપ અને ફળ એ ત્રણ ચીજ સમજવાની જરૂર છે. ભેદો પણ છેલ્લે સમજવાના હેય. મનુષ્યપણાની સિદ્ધિ વગર આર્ય અનાર્ય ભેદ હોઈ શકે નહીં. તેમ ધર્મની સિદ્ધિ વગર તે ભેદ હેઈન શકે માટે ધર્મના ભેદની વાત હાલ બાજુએ. મૂકે, અને ધર્મની વાત કરે. પરિણામ ધર્મ કયારે બને ? હવે ધર્મનું સ્વરૂપ ને કારણેને વિચાર કરો. તેમાં ધર્મ અનુછાન ગણીએ, પરંતુ અનુષ્ઠાન તે કર્મ ગણાય. માટે પરિણામ એ ધર્મ કહે જાઈએ. પરિણામ એ ધર્મમાં મુખ્ય ચીજ? ના, નહીં. પરંતુ એ પરિણામ ધર્મ માટે ઉપયોગી કયાં? જ્યાં ક્રિયાને અભાવ હોય ત્યાં આકસિમક સંગે કિયાના પલટામાં પરિણામ એ ધર્મ કહેવાય.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy