SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬] દેશના મહિમા દર્શન તથા તેની માતા નંદા દક્ષા ન લે તે આ લડાઈ થવાની ન હતી. અભયકુમારની દીક્ષા પછી જ શ્રેણિકને કેણિકે કેદમાં નાંખે. દરરોજ બાપને ચાબૂકથી માર મારે છે! મગધને સમ્રાટ શ્રેણિક કેદમાં પડ્યા છે. દરરે જ દીકરાના હાથના ૧૦૦ કેયડા ખાય છે! તેવી કપરી સ્થિતિ વખતે પણ શ્રેણિકને એ વિચાર આવ્યું ન હતું કેમહાવીર ભગવાને અભયને દીક્ષા ન આપી હોત તે આ પરિણામ ન આવત. અભયે દીક્ષા ન લીધી હતી તે તેની બુદ્ધિથી મારી આ દશા ન આવત, આવા વખતે–મહાવીર ભગવાને મારું ન ખોદ કાઢયું તેવા વિચાર ન આવત? પણ તે કેમ ન આવ્યું ? કારણ કે તેમના હૈયામાં તત્વની હયાતિ છે. આત્માને અંગે લેકેત્તર તત્વ હંમેશનું છે. દરેક ધર્મનાં કાર્યોને અંગે ગમે તે ભેગ આપે પડે તે પણ હરકત નહીં, એવી સમજવાળો આત્મા થાય ત્યારે અગતરાત્મા. પ્રસંગ આવે તે વખતે ભેગ આપવા તત્પર રહે. દેવ, ગુરુ, ધર્મ ખાતર, બધી જાતના ભેગ આપવા તૈયાર રહે તે અંતરાત્મા. તે આત્મા, જ્યારે કર્મનાં બંધને ખંખેરી નાંખે-આત્માને કેવળજ્ઞાનવાળો બનાવી દે ત્યારે તે પરમાત્મા. આત્માના આ ત્રણ પ્રકાર. અંતરાત્મા થાય તે પરમાત્મા થાય. અંતરાત્મા થયા સિવાય પરમાત્મા થાય નહીં, માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે–પ્રથમ આત્માનું સ્વરૂપ ધ્યાનમાં લે. “હું” એટલે કે? તેને કિસ્સો ઉકેલે. તે કયારે ઉકલે? દરેક આસ્તિક દર્શનકારે આત્માને માન્ય છે, પણ સાચું આત્મસ્વરૂપ જાણવામાં અને માનવામાં ન આવે ત્યાં સુધી આગળ ન વધી શકાય માટે આત્મા ચીજ શી ? તે સમજવાની પ્રથમ જરૂર છે. એક વાત જગતની ધ્યાનમાં લે. કાર્ય સાધનાર કેણ બને ? તેમાં ત્રણ વસ્તુ પકડવી પડે છે. કાર્યની સિદ્ધિ માટે દઢ નિશ્ચય, “ના નાભિ કાર્ય સાધવું છે, તેમાં શંકાને સ્થાન ન દેવું. એ નિશ્ચય રાખે તે જ કાર્ય સિદ્ધ કરે છે. કાર્ય સિદ્ધ ન થાય તે - પાતામિ એમ નહીં ! કાર્ય સાધવું છે એ દઢ નિશ્ચય રાખે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy