SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના મહિમા દર્શન ગયા, એ જ વહેવાર છે. આ ચારે દુકાન કેવી છે? “દયા, લીયા ને ભૂલ ગયા. જેવી દુકાન છે. તેની ઉપર શું જોઈને અભિમાન કરે છે? “હું'ની મિલકતને ખ્યાલ નહીં હોવાથી તેને જમે કરાવી દે છે. હું એટલે કંચન, કામિની આદિ નહીં. તે તે કાછિયાની દુકાન છે, માટે “હું” એટલે બીજો કઈ નહિ, પણ આત્મા. સર્વકાળ અવસ્થાવાળો, દ્રવ્ય, કાળ, ભાવથી વિચારવામાં આવે તે જવાબ દેનાર એક જ છે. આમ “હું” શબ્દથી આત્મા નક્કી કર્યો, પરંતુ દુનિયામાં શબ્દની કિંમત હેય; પદાર્થની કિંમત હોતી નથી. સંપનાં ત્રણ કારણે જગતમાં સંપ સારે કે ખરાબ? તેમાં સારામાં બધાના મત નોંધાશે, પરંતુ તેઓને પૂછાય કે-સંપનાં કારણોને અમલ કરે છે કે નહીં? તે તે માથું ખંજવાળશે. સંપનાં કારણેમાં તેને વેટ માગે તે? તે ઘણે ભાગ કહેશે કે-કારણે જાણતા નથી. તેનાં કારણે ખ્યાલ ન હોય તે કાર્યોમાં શું કરે? આમ દુનિયા, માત્ર શબ્દથી વોટ આપે છે. “સંપ” શબ્દ સારે પણ અર્થમાં ઉતરે તે કઈ સંપને અર્થ કરી શકતું નથી. સંપનાં ત્રણ કારણ છે. ત્રણ કારણ જ સંપનાં છે. “(૧) તું ગુનેગાર બન નહીં. (૨) બીજાના ગુનાની ગાંઠ ન વાળ. અને (૩) ઉપકારને વખત જવા દે નહીં”બીજા ગુનેગાર બને તેની ગાંઠ ન વાળવી. અને તેમાંય સંપનું મુખ્ય કારણ ઉપકારને વખત ભૂલ નહીં.” આ ત્રણ વસ્તુ સમજનારને સંપ કરે અને આગળ વધારે સહેલો છે. સંપનાં કારણેને ખ્યાલ નથી, તે દુનિયા સંપના અર્થમાં નહીં, માત્ર સંપ શબ્દ માટે મૂકે છે. એવી રીતે અહીં દુનિયાએ “આત્મા’ શબ્દ લઈ લીધે. દરેક આસ્તિક દર્શનકાએ આત્મા માન્ય છે, પરંતુ શબ્દથી જ. જેમ “સંપ” શબ્દથી વહાલે છે તેમ દરેક દર્શનકારેએ “આત્મા, શબ્દ લીધે છે. શબ્દ એકલે પકડેલે હેવાથી ભક્તિમાં, પ્રાર્થનામાં, એવામાં તેને માની લીધો.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy