SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. “હું એટલે કોણ? [રર૩ પ્રાણધારણમાં બીજા અર્થો રહેશે. આત્મા શબ્દથી આખી દશા દેખાડી. તેવો એક શબ્દ તેમાં નથી. તે માટે “આત્મા’ શબ્દ કહ્યો. આત્માની વ્યાખ્યા હંમેશાં અતીત અનંત કાળ ગયે, અનાગતકાળ અનંતે આવશે. વર્તમાનકાળ પ્રત્યક્ષ છે. ત્રણે કાળમાં આત્મા પરિવર્તન સ્વભાવવાળે છે. પરિવર્તન પણ વગરને કેઈ કાળ નથી. નિગોદ કે નરક, નિયચ, મનુષ્ય કે દેવમાં હોય તે પણ પરિવર્તન. દુનિયામાં પરિવર્તન બધે છે. પણ સિદ્ધ પરમાત્મા એ તે સંસાર બહાર છે ને ત્યાં આત્મા છે કે નહિ? જે સૂકમ એકેન્દ્રિય યાવત્ કીડી, પશુ, દેવતા, મનુષ્યમાં આત્મા તે જ આત્મા સિદ્ધમાં છે. આત્મા એને એ જ, સિદ્ધપણામાં પરિવર્તન કયાંથી લાવશો? સથાન કાળમાં અનાજનિ તેથી સર્વ પરિવર્તન સ્વભાવવાળા છે, પણ સિદ્ધમાં પરિવર્તન કયાં છે? પરિવર્તન બે પ્રકારનું છે. આંગળીઓ સીધી હતી તેને વાંકી કરી. તે પ્રસંગે સ્વાદુવાદ સમજી લેશે. કેટલાક સ્યાદ્વાદને દુરપયોગ કરે છે. હા એની ના, ને ના એની હા. એ અર્થ સ્વાદુવાદને નથી. અપેક્ષાવાળું વચન તે સ્યાદ્વાદ. દીર્ઘ દૃષ્ટિથી વાપરેલું વચન તે સ્યાદ્વાદ. દેવદત્તને પુત્ર મહાદત્ત, તેને પુત્ર વિષ્ણુદત્ત. તે મહાદત્ત બાપ કે દીકરે? દેવદત્ત અને વિષ્ણુદ તેમાં કથંચિતપિતાપણું, કથંચિત પુત્રપણું છે. એકલું પુત્ર કે પિતાપણું નથી, એવી જ રીતે “પીયાણું મધુ દત્તો વદયતિ પમાણની અપેક્ષાએ કર્મ મધુદત્તને કર્મ છે. પીયમાણની અપેક્ષાએ કર્મ છે. “વદયતિની અપેક્ષાએ કર્યા છે. અપેક્ષાઓ જે જે વસ્તુ હોય તેવું નિરૂપણ કરવું તે સ્યાદ્વાદ છે. હવે આંગળી ઉપર આવીએ. આંગળી તીરછી જે હતી તે વાંકી કરી. એટલે સીધાપણાને નાશ અને વાંકાપણાની ઉત્પત્તિ થઈ, છતાં તેમાં આંગળીપણું સ્થિર છે. આંગળી વાંકી કરી, કાચમાં દેખી તે આંગળી
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy