SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬] - દેશના મહિમા દર્શન મહારાજે કહ્યું તેમ અગ્લાનિએ જે કહ્યું હોય તે કરવાનું. આમ કેણ કરી શકે? ગુણ અભ્યાસક હોય તે જ આમ કરી શકે. છરીના ઘા રૂઝાય છે, પણ વચનના ઘા રૂઝાતા નથી તેમ બેલે તે વચનને માટે પણ એ જ વિચાર કરવાને છે. નિરવઘ વચન શુકલધ્યાન કરવાને આજ્ઞા કરે છે–પ્રેરે છે. પણ તે બધાં ગુણરૂપ લેવાં જોઈએ. આ માટે વચનની પ્રવૃત્તિ ઉપર અંકુશ ધરાવે જોઈએ. મન વગેરે ત્રણની પ્રવૃત્તિની અંદર મનુષ્ય માટે વચનની પ્રવૃત્તિ ઉપર કાબૂ લેવાની જરૂર છે. કેમકે-જગતમાં વચન જે અનર્થ કરનાર થાય છે, તે મન કે કાયાથી અનર્થ નથી થતું. ઘા માર્યો તે ત્રણ દિવસમાં તે રૂઝાઈ જાય છે, પરંતુ વચન કહ્યું હોય તે જિંદગી સુધી ભૂલાતું નથી, માટે “વચન ઉપર કાબૂ રાખતાં શીખે અધ્યાત્મકપદ્વમમાં કહ્યું છે કે बचाऽप्रवत्तिमात्रेण, मौनं के के न बिम्रति ? । निरवध वचो येषां, वचागुप्तांस्तु तान् स्तुवे ॥ વચનની પ્રવૃત્તિ ન કરવી તે રૂપ મૌન કેણ નથી કરતા? એકેન્દ્રિય અનાદિથી મૌન રહ્યા છે, માટે જેએનું વચન નિરવદ્ય છે, તે વચનગુપ્તિવાળા મહાત્માઓ છે, અને તેઓની હું સ્તવના કરું છું.” માટે આજે મારે મૌનપણું. સાવદ્ય કે નિરવધ વચન પ્રવર્તાવવું તે મારે આધીન છે. હું તેને આધીન નથી.” એ જ એને વિચાર. જેનું મન રેકાયેલું હોય તે જ્યાં સુધી વિચાર કરવા માગે ત્યાં સુધી વિચાર કરી શકે. આયર્લેન્ડે ૧૦૦ વર્ષ સુધી સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. ગ્લેડસ્ટને પણ તેમાં બ્રીફ આપી, અને તે પાર્લામેન્ટમાં રજૂ કરી, છતાં તે ઊડી ગઈ. તેને વિચાર કે હોય ? પણ ૧૦ વાગે ઊંઘવાની ટેવવાળે તે ૧૦ વાગે ઊંઘી ગયા. બ્રીફમાં નાસીપાસ થયા છતાં ૧૦ વાગે ઊંઘી ગયે. આ ઓરડો ખેલે ત્યારે તે વિચાર કર. તેવા જ મનુષ્ય વચન ઉપર કાબૂ ધરાવી શકે. વચન ઉપર કાબૂ હેય તો મન ઉપર કાબૂ આવી જાય. કાયાને કાબૂ સાહજિક છે. મહાવીર ભગવાનને કેડમેડ સાગરોપમ રખડવું પડ્યું તે વચનથી.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy