SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. અમેદનના પ્રકાર [૧૫૭ ઘરે ઘરની જડતી લેવા માંડી. પેલા નાસ્તિકને ત્યાંથી હાર નીકળે. હાર લઈને અને નાસ્તિકને લઈને સિપાઈઓ દરબારમાં આવ્યા. રાજાએ હાર બાબત પૂછતાં નાસ્તિકે કહ્યું-હું કંઈ જાણતું નથી. રાજાએ કહ્યું-તે વાત કેમ મનાય ? હું અત્યારે તારી વાત માની લઉં તે સભા મને શું ગણે? માટે તેની ખાત્રી શી?” હવે ગેઠિયાને નાસ્તિકે કહ્યું કે–“તારી સાથે આમ મિત્રતા ને હવે રાજા પાસેથી છેડાવે નહીં? પેલો ગોઠિ રાજા પાસે ગયે. રાજાને કહ્યું કે-“આ આ ચર નથી.” રાજાએ કહ્યું-“તારી વાત ખરી પણ એને જ ઘેરથી હાર નીકળે તેનું શું? હાર બાબત તે નથી જાણતે તે શા ઉપરથી માનવું? માટે એ બાબત માટે તે દેવતાઈ નિર્ણય કરવો પડે. અહીંથી તેલને વાટકે ભરીને આપું, તે વાટકે લઈને બજારમાં ૮૪ ચૌટે ફરે અને અહીં આવે ત્યાં સુધીમાં તેમાંથી એક પણ બિન્દુ ન પડવું જોઈએ. એ પ્રમાણે દેવતાઈ નિર્ણય થાય તે માનું કે તે હારને ચાર નથી. જે છાંટય પડશે તે પાછળ રાખવામાં આવનાર ખુલ્લી શમ શેરવાળા સિપાઈઓ તરત માથું ઉડાવી દેશે. (સિપાઈઓને કેઈન જાણે તેમ કાનમાં કાંઈક જુદું જ કહી રાખ્યું.) કારણ કે–ભૂલની સજા છે, એમ મારી પ્રજાને ભરસો થવો જોઈએ. પેલા ગેઠિયાએ જઈને તે વાત નાસ્તિક મિત્રને કહી, સાથે તે શરત કબુલ્યા સિવાય જીવિત પણ નથી, એમ કહ્યું. હવે મૂંઝાએલા નાસ્તિકે જીવવા સારુ રાજાની શરત સ્વીકારી. - આ બાજુ રાજાએ શહેરમાં ચારે બાજુ રંગ જામેલે દેખાય તેવા રંગ-બેરાક-પોષાકર્નાટક વગેરની ઠેરઠેર ગેઠવણી કરાવી ! જે કેઈને પણ જોવાનું મન થઈ જાય. પેલે તેલને વાટકે પકાવેલ નાસ્તિક તે ચેમેર નાટક-ચેટકાદિના જામેલ ઠાઠ અને ગાનતાનમય ચૌટાઓ વચ્ચેથી તેલના વાટકામાંથી બિન્દુય પડવા દીધા વિના આબાદ પસાર થઈ ગયે ! અને સિપાઈઓના પહેરા સહિત ભરેલ વાટકે રાજા પાસે પાછો આવ્યે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy