SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. હિતબુદ્ધિ અને સમ્યક્ત્વ [૧૫૧ લાણું કરે. કેટલાકે એવા હોય કે “ઢેલ વગડાવ્યા તેમાં શું ?” એવા બિચારાને ખબર નથી કે–એટલે જીવે ધર્મને વખાણવાવાળા થાય, જેટલા જીવે ધર્મની કિંમત-બહુમાન કરનારા થાય, તેટલા અને તેવા જીવે છેવટ આવતા ભવે તે સમ્યક્ત્વ પામે, આપણે સમકિતનું દાન કરનારા થઈએ છીએ. એક મનના છતાં ધર્મ સાંભળી ભિન્ન મનના થયા ! એક જગ્યાએ બે મિત્રો છે. તે એવા છે કે-સાથે જમનારા, અને સાથે દેશાંતરે જનારા. પણ આ બે મિત્રો એવા છે કે–“ અહીં એકનું મન જે થાય ત્યાં બીજે બીજે ઠેકાણે રહેલો હોય તેને પણ તે જ વિચાર આવે–તેવું જ મન થાય.” મિત્રોની સ્થિતિ તપાસ તેથી લેકેએ તેમનું નામ “એકમનિયા” પાડ્યું. કેઈક વખત બંને તીર્થકર પાસે આવ્યા. તેમણે તેમની દેશના સાંભળી. સાંભળતાં સાંભળતાં એકને ધર્મ રુએ. બીજાને ન રુએ. બંને વિચારે છે કે “આપણે બંને એક મનવાળા હેવાથી જિંદગીમાં કદાપિ મનમાં ભેદ પડયો નથી છતાં અહીં ભેદ કેમ પડયો ? “ચાલ પાછા. પાછા વળીને તેઓએ તીર્થકરને પૂછયું કે, “અમો અભિન્ન મનવાળા છતાં દેશનામાં અમને કેમ ભેદ પડે? ભગવંતે ખુલાસે કર્યો કે, “તમે બંને પૂર્વભવમાં ચેરને ધંધે કરતા હતા. એક વખત ચેરી કરવા જતાં શુકનમાં સાધુ મળ્યા ત્યારે એકે વિચાર્યું કે, “બીજા છે તેવા આ પણ મનુષ્યો છે. મુંડી અપશુકની છે.” બીજાએ વિચાર્યું કે, “આ સાધુ મહાત્મા છે.” આ પ્રમાણે ત્યાં બંનેને વિચારભેદ થવા પામ્યું. આ વિચારના ભેદથી આ ભવે અહીં દેશનામાં તું ધર્મ પામ્યું અને એ ધર્મ ન પામે.” ચેરી કરવા જતાં સામા સાધુ મળ્યા તેથી હરખાય તેને ધર્મની સુલભતા થાય. પૂજા-પ્રભાવના દેખી હર્ષ થાય તેવાને બીજા ભવમાં ધર્મપ્રાપ્તિ સુલભ થાય, તેમાં નવાઈનથી. પ્રભાવના બીજું ભૂષણ જ જણાવ્યું. હવે પ્રભાવનાઘરેણું કેટલું કાર્ય કરનાર થાય છે તે અગ્રે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy