SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪] દેશના મહિમા દર્શન વેગ મળે પછી આખી જિંદગી ધર્મમાં તન્મય થવાનું. પ્રાચીન કાળના મનુષ્યને ઈન્દ્રિયની ભયંકરતા ભાસી હતી. એક જ વખત સારા ડેકટરે દરદની પરીક્ષા કરી હોય, પછી ડોકટર ઘેર જાય તે પણ દદી દવા ને ચરી બરાબર પકડી રાખે. પ્રાચીન કાળમાં એક વખત મહાપુરુષને જેગ થયે, તેમણે જે ધર્મ કહ્યો તેની અસર થઈ. તે જિંદગી સુધી ન ભૂલે. તે માટે જ કહે છે કે અનાદિકાળના ચકકરમાં આપણે રખડ્યા, હવે ભયંકરતા ભાસે તે નવી ભોગવવાને વખત ન આવે. આ સમજશે તે સમકિત શી ચીજ છે તે સમજાશે. અનાદિ ભવચક્રમાં આ જીવ પીલા નથી તેથી પિતાનાં સ્વરૂપને ઓળખી ન શક્યો. હવે ભગવાન જિનેશ્વરરૂપી વૈદ્ય મળ્યા, તે વૈદ્ય ભાન કરાવીને દવા આપી. દરદ માત્રમાં કઠો ચેખ કરવો જ પડે. કોઠાની દરકાર નહીં ને દવા કરવી એમ ન કરાય, તેમ મોક્ષ મેળવવા માટે જે અનુષ્ઠાન હોય તેમાં અનાદિને ભવભ્રમણને ડર રાખવાને છે. અનાદિનું ભવભ્રમણ ટાળવાને ડર દરેકને હેજ જોઈ એ. નિરાશંસપણે તપ કરવો તમે ભલે તપસ્યા કરે. પણ હું કહું છું, કે આલેક-પરલેક, કીર્તિ, વર્ણ, પ્રશંસા માટે તપ ન કરે. અહીં એક વાત ધ્યાનમાં રાખજે. અહીં નિષેધ શા માટે કરાય છે? તેમાં કર્મક્ષયને મુદ્દો છે, નિર્જરાને મુદ્દો હદયમાં રાખી જરૂર તપ કરે. આલેક, પરલક, કીતિ આદિ માટે તપ ન કરે. કમની નિર્જરા માટે તપ કરવાને. સવ તપ આચારની જડ કઈ? અનાદિથી રખડનાર કર્મો નાશ કરે. સંવર અને નિર્જરાના અથ ન બનીએ ત્યાં સુધી કર્મનાશને પંથ ક્યાંથી? કેઠે ચાખે ન હોય ને બહાર લેપ કર્યો જવાય તે? ખસ ઉપર લેપ કરીએ પણ અંદર કોઠે સાફ ન હોય તે લેપ અસર ન કરે. તેમ સંવરની સુંદરતા અને આશ્રવની અસુંદરતા ન સમજાય તે પછી ગમે તેટલું તપ, સંયમ કરાય તેય તેની કિંમત નથી. જડ પદાર્થને આશ્રવબંધ નથી.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy