SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. આસ્તિક અને નાસ્તિક [૭૭ નથી. તેથી નાસ્તિકોએ આ કિસ્સો ઊભો કર્યો કે–“ ત્યાગ અને સંયમવાળાઓ પરાધીનપણે દુઃખ ભેગવે છે. તેવું કરીને તમે આત્માને ભેગથી વંચિત રાખે છે. કુટુમ્બ, રિદ્ધિ, છોકરા, બાયડી છેડીને નીકળે, તે તમારા હાથે દેશનિકાલની સજા જાણી જોઈને ભેગે છે.” આવું કહેનારા નાસ્તિકોને-બિચારાઓને બીજાને તપસ્યા–સંયમ કરતાં દેખી પેટમાં લાય થાય છે. તેવા પ્રકારના નાસ્તિકોએ પેદા થઈ “અનેક પ્રકારની તપસ્યા તે પીડા છે, સંયમ તે ભેગવંચના છે !” આવી રીતે ઊભું કરવું પડયું. નાકકટ્ટાની ટોળી. બીજાનું ધર્મકૃત્ય ખમી શકાયું નહિ એટલે એક નાકકટ્ટાને નાકકટ્ટાની ટેળી ઊભી કરવી પડી. નાકકટ્ટો પિતે જ્યાં જાય ત્યાં નાચે. “ભગવાનને સાક્ષાત્ દેખું છું. નાક આડું હતું ત્યાં સુધી દેખતા ન હતે. ગયા પછી જ દેખાય છે.” એમ નાચતે જાય ને કહેતો જાય. આજકાલ માર્ગથી ખસેલ સ્થાનકવાસીમાંથી પણ ખસ્યા ત્યારે હવે મને સમ્યગુજ્ઞાન થયું” એમ કાનજી સોનગઢમાં કહે જ છે ને? એક પગથિયું ચૂકી સ્થાનકવાસીમાં રહ્યા હતા, ત્યાં સુધી એક પગથિયું ચૂક્યા. પછી સ્થાનકવાસીમાંથી નવે પંથ કાઢયે એટલે હવે નહીં ત્રણમાં કે તેમાં જેવું થયું. નહિ શ્વેતામ્બરમાં,નહિ સ્થાનકવાસીમાં કે નહિ દિગમ્બરમાં ! અને મને જ્ઞાન થયું છે ! નાક હતું ત્યાં સુધી ભગવાનના દર્શન થતાં ન હતાં. ગયા પછી મને જ્ઞાન થયું, હવે ભગવાનનાં દર્શન થાય છે! ચેરેનું, જુગારીઓનું, રંડી વેશ્યાઓનું કદિ નખેદ ગયું? દેખીતા ખરાબ છતાં તેનું નખાદ જાય છે? હૈયાફૂટા આત્માઓ દુનિયામાં નથી એમ નહિ, હૈયાં ફેડનાર મળવા જોઈએ. પેલા નાકકટ્ટાને તેમ કહેતે જોઈને એક જણને થયું કે આપણે ય નાક કપાવીએ ! ત્રીજાએ દેખ્યું કે બેએ કપાવ્યું તેથી ત્રીજા ચોથા એમ હજારેએ નાક કપાવ્યું અને નાકકટ્ટાઓની ટેળી ઊભી થઈ ! નાક ન કપાવે તો તે ઈશ્વરનાં દર્શનની બહાર!
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy