________________
સાજનું નિવેદન મારે જે કાંઈ કહેવું હતું, તે અત્યારે પૂર્વે સંવત પ્રવર્તક મહારાજા વિક્રમ ભાગ ૧-ર-ના હિંદી પુસ્તકમાં કહી ચૂક્યો છું. તેને ગુજરાતી અનુવાદ આ પુસ્તકનાં આપવામાં આવેલ છે, તે જિજ્ઞાસુ ભાઈઓ જોઈ શકશે.
જ્યારે દસ-બાર વર્ષનો હતો ત્યારથી મને સાહિત્યવાચનની રુચિ હતી. તે રુચિને સંતોષવા મેં પહેલું પુસ્તક રાજા વનરાજ અને આચાર્ય શીલગુણસરિજીનું વાચેલું. એ વાંચતા મારા મનમાં કેટલાયે વિચાર આવેલા. આજ મારું વય સાઠ વર્ષનું છે, છતાં તે વિચારે મારા મનમાં ઘડાયેલા છે. આજે હું અવસરે અવસરે તે વિચારોને સાકાર-મૂર્ત કરું છું.
એ વિચારોને મૂર્ત કરતાં આજ લગભગ ૧૨૫ જેટલાં નાનાંમોટાં લોકોપયોગી પુસ્તકનું સર્જસંપાદન થયું. જેની મને કયારે પણ કલ્પના ન હતી.
આ સર્જન સંપાદનમાં પરમ પૂજ્ય ગુરુદેવ પોપકારી, દિવ્ય તેજ-પ્રતાપધારી શાસનસમ્રા આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમપૂજ્ય પરમ કૃપાળુ શાસ્ત્રવિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ, મારા વિદ્યાગુરુ, શાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ સાહેબ, મારા વડીલબંધુ અને ગુરુમહારાજ, મારા પ્રેરણાદાતા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી ખાતિવિજ્યજી મહારાજના આશીર્વાદ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે આ ચાર પૂજ્ય