SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ કસ્તુરી વિગેરેથી સુંગંધવાળા પાણીથી નવડાવ્યા. પછી તેમને જમવા માટે લઈ ગઈ ને જમવા કહ્યું, ત્યારે મહારાજાએ કહ્યું, “હું રાતે જમતે નથી. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું હતું, ધર્મશ્રદ્ધાવાળે કઈ ગૃહસ્થ હોય અથવા વિવેકવાળે હેય તેને રાતે જમવું જોઈએ નહિ. તપસ્વીએ તે ખાસ કરીને રાત્રે જમવું ન જોઈએ. જે માણસ સદાય રાત્રિભેજનને ત્યાગ કરે છે, તેને એક મહિનામાં પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે. તેથી હું રાત્રિભોજન કરતું નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં બે વખત જમી લઉં છું.” મહારાજાના શબ્દો સાંભળ્યા પછી તેમને ચંદનનું વિલેપન કરવામાં આવ્યું. હાર વગેરે પહેરાવી તેમને કેચી પાસે લઈ જવામાં આવ્યા. મહારાજાએ ઘણાં વિનયથી નમસ્કાર કર્યો. એટલે કેચી મહારાજા વિક્રમનું નામ લઈ કહેવા લાગી, “પધારે મહારાજા વિકમ, સદાય પ્રજાને ન્યાય કરનારા કેમ આનંદમાં છે ને? મારી પુત્રી જેવી અને તમારી પત્ની દેવદમનની મજામાં તે છે ને? અહીં આવવાની તકલીફ કેમ ઊઠાવવી પડી? જગતમાં બધાને પિતાનું જ કામ વહાલું હોય છે. બીજાની પડી હતી નથી. તમે તમારા કામ માટે આવ્યા છે? મનને કેઈ સંશય દૂર કરવા આવ્યા છે?” બેલતી કેચ અટકી ડીક પળો વિતાવ્યા પછી બોલી, “જે સ્ત્રી પિતાના પતિ સાથે ચિતાએ ચઢી તે રત્નમંજરી સતીરત્ન. હતી. પણ ગઈ કાલે કોઈ કુકર્મના ઉદયથી અને પાપરૂપ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy