________________
૫૪૫.
રાજાએ તેની બહાદુરી અને રાજભક્તિથી પ્રસન્ન થઈ કેટલીક જાગીર બક્ષિસ કરી. હવે રૂપચંદ્ર બધી રીતે સુખી થયો.
એક દિવસે મહારાજાએ તેનાં કુટુંબ વિષે પૂછયું એટલે રૂપચંદ્ર પિતાને પરિચય આપ્યો. તે સાંભળ્યા પછી તેને માન સાથે તેની રાજધાનીમાં મહારાજાએ પહોંચાડે. તેના બાપે તેની વાત જાણી તેમજ લાવેલા ધનને જોઈ તે ખૂબ રાજી છે. થોડા સમય પછી રાજાએ મહત્સવ કરી રૂપચંદ્રને રાજ્યાભિષેક કર્યો ને અઘટકુમારે રામની જેમ રાજ કરવા માંડ્યું. આ સમાચાર વિક્રમાદિત્યને મળતાં તે રાજી થયા.
દિવસના આગળ વધવા સાથે વિક્રમાદિત્ય અને અઘટકુમાર વચ્ચે સનેહ વધતો ગયે, વખતોવખત તેઓ મળતા અને આનંદ કરતા.
દસમો સર્ગ સમાપ્ત
ઉદારતા ધનની કરે, ઐસા લેકે લોક, ટાણે મસ્તક આગળ ટકે, એવા વિરલા કેક; કરે કચ્છમાં પાડવા, દુજન કેટી ઉપાય, પુણ્યવંતને તે સર્વ-સુખના કારણું થાય