SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પર૫ બ્રાહ્મણ ઊઠી લાડુ ખાવા મંડે. પણ તેનાથી ખવાતું ન હતું. મૃગાવતી આગ્રહ કરતી હતી, એટલે બ્રાહ્મણે ના પાડી. તેનું પેટ ભરેલું હતું. મૃગાવતી વાત કરી તેની પાસે ગઈ અડકી તે સાથે જ “આ તે તે જ બ્રાહ્મણ છે, વળી પાછો ક્યાંથી આ?” મનમાં બેલી, ને બ્રાહ્મણને કહેવા લાગી, “મને પાછી તું અહીં કેમ લાવ્યા? હવે મારા મનની ઈચ્છા પૂરી કર.” “હે મૃગલોચની!” બ્રાહ્મણ બોલ્યા, “તું જૂહું કેમ બોલે છે? હું તને અડળે પણ નથી. મેં તારા આપેલા લાડુ ખાધા છે, તારે લાડુની કીમત જોઈતી હોય તે આ પડયા મગ. લઈ જા. હું પરસ્ત્રીનું મોઢું જેવા ઇરછતે નથી. પરસ્ત્રીને હું માબહેન સમજું છું. તેથી તું મારી બહેન છે, હું તારી અગ્ય ઈચ્છાને પૂરી કરી શકું તેમ નથી. જા, એકદમ અહીંથી ચાલી જા.” બ્રાહ્મણના શબ્દો સાંભળી મૃગાવતી નિરાશ થઈ પિતાને ઘેર ગઈ. મનમાં આજના બનાવ વિષે વિચાર કરતી તે આખરે થાકી મનને ગમે તેમ સમજાવી સૂઈ ગઈ. ચંદ્રસેન સવાર થતાં પિતાને ઘેર ગયે ને પિતાનાં નિત્યકર્મ કરવા લાગે, ત્યારે પેલા બ્રાહ્મણે પણ ઊઠી સ્નાનાદિ કરી નિત્ય—પૂજાપાઠ કરીને તે નગર તરફ જવા લાગે. રસ્તામાં ચંદ્રસેન તેને સામે મળે ને પૂછવા.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy