SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પક સમજાવ્યા, પણ તે ન માન્યા. તે તે જે કરતા હતા તે કરે જ ગયા એક દિવસે ક્યાંકથી તે સુંદર સાડી લાવ્યા, વારંવાર માગવા છતાં તેમણે મને તે ન આપી, એ મારા દુરાત્મા પતિએ મારી એકપણ ઇચ્છા પૂર્ણ ન કરી. હું દુઃખથી દિવસે પસાર કરવા લાગી, હું દુર્યાનમાં મરવાથી છઠ્ઠા ભવમાં મલયાચલ વનમાં પિપટી થઈ. ત્યાં હું મારા પતિ પોપટ સાથે મોટાં, મોટાં જંગલમાં ઊડી સારાં સારાં ફળ ખાતી, સુખપૂર્વક દિવસે વિતાવતી હતી. સમય જતાં પ્રસવકાળને સમય પાસે આવ્યું, ત્યારે મેં પોપટને કહ્યું, કે ઈ ઝાડ પર માળે બધે જેથી બાળકોનું રક્ષણ થાય” મેં માળો બાંધવા વખતોવખત કહ્યું. પણ તેમણે સાંભળ્યું નહિ, મેં મહામુશીબતે શમીના ઝાડ પર માળે બાંધે, પછી મેં બે બચ્ચાને જન્મ આપે. એ બચ્ચાં માટે ચારે-દાણા મારે જ લાવવા પડતા, પિોપટ મને જરાય મદદ કરતે નહિ. એક વખતે એ જંગલમાં ઝાડોને એકબીજા સાથે ઘસાવાથી આગ લાગી, એ આગ મારા માળા તરફ ધસી રહી હતી. ત્યારે મેં પોપટને કહ્યું, “આપણે એકએક બચ્ચાને લઈ ઊડી જઈએ.” પણ તે દુષ્ટ -આળસુએ મારું કહ્યું સાંભળ્યું નહિ. આગ ઝડપે ત્યાં આવી પહોંચી. તે દુષ્ટ તે ઊડી જતો રહ્યો, બંને બાળકે બળી ગયાં, પછી મારું શુભ ધ્યાનથી મૃત્યુ થતાં હું આ ભવમાં મારા પિતા
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy