________________
આટલું વિશાળ તત્ત્વભર્યું સાહિત્યસર્જન કરી પૂજ્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. તત્ત્વ, અનુભૂતિ અને આવી અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ સર્જકમાં મળે. સાચે જ, પૂજ્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો હતા.
ડો. ધનવંતભાઈ ટી. શાહ માનદ તંત્રી: પ્રબુદ્ધ જીવન'
C/o શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-400004
મો. 09820002341
૯૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો