________________
સ્થાપના કરવાને નિર્ણય થયે. પૂ. ગચ્છાધિપતિ આ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના આશીર્વાદ પ્રાપ્ત થયા, ' સાથે પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સા.નું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી નિરંતર આગમ દ્વારકની વાણીનું પાન કરનાર, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરનાર, અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર ખ્યાતનામ શ્રી અનુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અને શ્રી ફૂલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી, કર્મઠ કાર્યકર્તાઓ પણ આ સંસ્થાને પ્રાપ્ત થયા, જેથી ટૂંક સમયમાં જ “પર્વ મહિમા દર્શન,
દેશના મહિમા દર્શન” અને “આનંદ પ્રવચન દર્શન જેવા દળદાર ગ્રંથે બહાર પાડી શક્યા.
આનંદ ઝરણાં ભાગ ૧-૨ તથા સિદ્ધચક' માસિકમાંથી સંગ્રહ કરેલ, તે “આનંદ પ્રવચન દશન” છે. અનેકવિધ પ્રતિકૂળતા હેવા છતાં મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહે સંભાળી લીધી છે, જેથી આ કાર્યને સારે વેગ મળે છે.
આ ગ્રન્થ પ્રકાશનમાં જેમને પ્રગટ કે પ્રચ્છન્ન સહાગ પ્રાપ્ત થયા તે સહુની કૃતજ્ઞભાવે પુણ્યસ્મૃતિ કરું છું. મારા દરેક કાર્યમાં સંપૂર્ણ સહાયક બનનાર ગણિશ્રી નરદેવસાગરજી મ., ગણિશ્રી અશોકસાગરજી મ., ગણિશ્રી કલ્યાણસાગરજી મ., ગણિશ્રી ચંદ્રાનનસાગરજી મ, મુનિશ્રી કલ્પવર્ધનસાગરજી મ, તથા બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીને પૂર્ણ સહકાર પણ નેંધપાત્ર છે. મુખપૃષ્ટ રેખાચિત્ર મુનિરાજશ્રી હેમચંદ્રસાગરજી મ. સા. તરફથી સાભાર પ્રાપ્ત થયેલ છે. તા. ૪-૨-૮૨, વાલકેશ્વર
નિત્યદયસાગર ગણિ