SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોણ ? લાખની કોથળી આદિ કરતાં જીવ વહાલો કેમ? આપણું આ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણી દશા ચૌટાના ચેકસી જેવી જ છે. મારું એનું પચીસ રૂપિયે તોલે, પણ તારૂ નું પેસે તોલો ! દશામાં જ આપણે છીએ. મરતા મનુષ્યને તમે એક લાખ રૂપિયાની સેનાની કોથળી અને એક વર્ષની જિંદગી આપીને એ બેમાંથી ગમે તે એક ચીજ લેવાનું કહેશે તે તે કદી પણ સોનાની કોથળીને પસંદ નહિ કરે, પરંતુ એક વર્ષની જિંદગીને જ પસંદ કરશે. સૌધર્મ કેવકને ઈદ્ધિ હોય યા તે હળાહળ નકને કીડે હોય, પરંતુ તે બને જિંદગીને જ પસંદ કરે છે. તુર્કસ્તાનના સુલતાને પોતાની રાજગાદીનું રાજીનામું આપી દીધું હતું. ઇરાનના શાહે પણ ગાઢીને ત્યાગ કર્યો હતે, રશિયાના ઝારે. પણ ગાદી છોડી હતી, જર્મન કેસરે પણ સિંહાસનનો ત્યાગ કર્યો હતે. અને પેનના રાજાએ પણ રાજગાદીનો ત્યાગ કરીને પણ પિતાની જિંદગી બચાવી હતી. જિંદગી રાખીને પણ તેમણે રાજગાદીને લાત મારી હતી. પરંતુ તેમાંથી પણ કઈ એ નીકળે ન હતો કે જેણે રાજગાદીને. ખાતર જીવ આપ્યો હોય ! આપણે આપણી વર્તમાન જિંદગીમાં આપણી બધાની સ્થિતિ જોઈએ છીએ કે આપણે જીવ બચાવવા ખાતર આપણે કોઈપણ ભેગ આપવા તૈયાર થઈએ છીએ. જે એમ ન હોત તો આ બધાએ રાજગાદીનાં રાજીનામાં ન આપ્યાં હોત અને જીવને બચાવ્યો હોત. પિતાને પોતાનો જીવ દેશના આખા રાજ્ય કરતાં વધારે મૂલ્યવાન માલુમ પડે છે, તે વિચાર કરો કે આપણને બીજાનો જીવ આપણું જીવના જેવો કયે દિવસે વહાલું લાગ્યું હતો? દરેકને જીવનું મૂલ્ય ચૌદ રાજલક કરતાં અધિક લાગે છે, પરંતુ એ કિંમત દરેકને પિતાના આત્મા માટે લાગે છે. બીજાને આત્માની એવી મહામૂલ્યવાન કિંમત કેઈપણ જીવને માલુમ પડતી નથી ? આપણે આપણા જીવમાં અને બીજાના જીવમાં ફરક ન જ માન્ય .
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy