SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ આનંદ પ્રવચન દર્શન પૂરતી જ, તેથી વધારે નહિ.” પેટરૂપી વેપારી એવો છે કે કેઈપણ તેને માલ આપ, તેને તેને વાંધો નથી મગ આપ કે ચણા આપે ?' કાચા આપો કે પલાળેલા આપા ! તે તે પિતાને જોઈએ તેટલું લે છે અને તેની ઈચ્છા પ્રમાણે જ તેને જે માલ આપે, તે તે વેપારી એ બધો માલ પચાવી પણ શકે છે. પરંતુ જે વધે છે તે માત્ર ચાર આંગળની જીભડી રૂપ આ દલાલણનો? એ ચાર આંગળની દલાલણને મઝા કરાવવા માટે મીઠું, મરચું, ખારૂં, ખાટું, તીખું બધું જોઈએ. છે. એ દલાલણના લાડ પૂરા કરવાની પાછળ કેટલાય જીવને સંહાર થઈ જાય છે, તે આપણે જતા નથી. હવે જે તમે એમ જ માનતા હો કે બધા આત્મા સમાન છે. તે પછી તમે મરચાંના જીવાત્માઓને નિર્દય બનીને ઘાત કરી શકે ખરા કે? અહીં કેઈએ સવાલ કરશે કે શું કરે? આ સઘળી જીવે છે એ જાણ્યા છતાં પણ માણસને સ્વરક્ષા અર્થે આ છે ને. ઘાત કરે પડે છે, કારણ કે જે તે એવું ન કરે તે જીવે શી રીતે ? એ પ્રશ્નને જવાબ એ છે કે “તમારે અનશન કરવું જોઈએ પણ ધર્મમાં તમે ફેરફાર કરી શકે નહિ.” ઘર્મ સર્વ કાળને માટે એક સરખો છે અને એક જ સરખા સ્વરૂપવાળા પણ છે. તે તમારી આંખના જેવો અચળ છે. આંખે ઉપર માલિકી તમારી પોતાની છે, છતાં આંખે તમારી સગવડ ખાતર આગળને બદલે પાછળ આવી જતી નથી. જેમ તમારી આંખો પણ તમારી અગવડ–સગવડને સંભાળતી નથી, તે જ પ્રમાણે અમે પણ તમારી અગવડ-સગવડને સંભાળવા તૈયાર હોતો નથી. અનાદિકાળથી જે ધર્મ એક જ સ્વરૂપે રહેલું છે, તે ધર્મ તમારી સગવડતા ખાતર ફેરવાઈ જવાને નથી જો તમે તમારા જીવ જે જ બીજાને જીવ ગણતા હો તે દાળ, ભાત, શાક તમે ખાઈ શકે કે કેમ એ તમારે વિચારવાનું છે. જે માણસ પોતાના પૈસાના ભલાને ખાતર બીજાનું હજાર રૂપિયાનું નુકસાન કરે છે તે માણસને તમે કેવા ગણે છે ? તે પછી પોતાના ક્ષણિક સંતોષની ખાતર જે બીજા અસંખ્ય જીવોને સંહાર કરે છે તે માણસને પણ તમે કે શેતાન માનશો ?
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy