SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ જેન કેણ? ઉપરના શબ્દો બોલવા બધા તૈયાર છે, પરંતુ તેનો મર્મ વિચારવા કેઈપણ તૈયાર નથી. આ જગત કેવળ પિતાના આત્માને માટે જ આસ્તિક છે, પરંતુ સંસાર પારકા આત્માને માટે આસ્તિક નથી. જે સંસાર સઘળા જ આત્માને માટે આસ્તિક હોય તે પહેલાં તે એ જ વાત વિચારવાની છે કે આત્મા ક્યાં છે? મુસલમાનો અને ખ્રિીએ આ સંસારમાં સર્વત્ર આત્મા માનતા નથી. તેઓ માત્ર માણસોમાં જ આત્મા છે એમ માને છે જ્યારે હિંદુઓ માણસ, કીડી, મંકોડા, પશુ, પક્ષી, ઈત્યાદિ સર્વમાં આત્મા રહેલો છે એમ માને છે. માત્ર જૈનશાસન એ એકલું જ એવું છે કે જે માણસ, રો, પાણી. કીડી, મંકેડી, વનસ્પતિ, પાણી, પવન અને પૃથ્વીમાં પણ આમા છે એમ માને છે. જૈનત્વ કયાં છે અને વિચાર કરો ! જાનવરો, કીડી, કેડી ઈત્યાદિમાં તે આત્માને માન જ રહ્યો. પરંતુ પૃથ્વી, અપ, તેલ, વાઉ અને વનસ્પતિ એ પાંચે સ્થાવરોમાં પણ આત્મ માનવે એમાં જ જનત્વ રહેલું છે અને એ માન્યતામાં જ જૈનત્વ બીજા સઘળાં સંપ્રદાયોથી ભિન્ન છે. જિનેશ્વરને દેવ માનવામાં અધિક્તા કઈ? હવે કોઈ એવી શંકા કરશે કે જનત્વની વ્યાખ્યા કરતાં આપણે એકવાર એવું સ્પષ્ટ કહી ગયા છીએ કે જે જિનેશ્વરોને દેવતા માને છે તે જૈન છે. અહીં આપણે એમ કહીએ છીએ કે જે છએ કાયમાં આત્મા રહેલો માને છે તે જૈન છે. તે પછી શ્રી જિનેશ્વરદેવોમાં અધિકતા શી રહેવા પામે છે ? આપણે શ્રી જિનેશ્વરને જ દેવ માનીએ છીએ ને બીજાને દેવ નથી માનતા તેનું કારણ શું? આંખ, કાન, નાક, હાથ ઇત્યાદિ બધાને છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવાનોને પણ હતું તે પછી શ્રીમાન જિનેશ્વરમાં અધિકતા શી હતી કે જેથી આપણે તેમને દેવ માનીએ છીએ અને બીજાઓમાં એવી શી ન્યૂનતા હતી કે જેથી આપણે તેને દેવ માનતા નથી ? શરીરની અપેક્ષાએ જિનેશ્વરમાં કે બીજા દેવામાં કશી ન્યૂનતા કે શ્રેષ્ઠતા તે છે જ નહીં. બીજા દેમાં અને જિનેશ્વરમાં જે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy