SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ આનંદ પ્રવચન દર્શન માણસે ગર્ભમાંથી બહાર નીકળેલા એ હાથ પાસે દીવાસળી સળગાવીને તેની ઉષ્ણુતા પેલા હાથને લગાડી એટલે તે જ ક્ષણે પેલા ગર્ભે હાથે અંદર ખેંચી લીધો. હવે વિચાર કરે કે અવિન બાળનાર છે એ વાત ગર્ભમાં પેલા બાળકને કેણ શીખવવા ગયું હતું વારુ? કઈ નહિ. છતાં પણ એ વાતનું પેલા ગર્ભને પણ જ્ઞાન હતું. વિષયથી સુખ અને દુઃખ માનવું એ જીવને રવાભાવિક સ્વભાવ છે. અનુકૂળ વિષયમાં સુખ માનવું અને પ્રતિકૂળમાં દુઃખ માનવું એ તે જીવને સ્વભાવ છે. એટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રજી મહારાજાએ “રમવત્ સર્વભૂતેષુ થ: વતિ રવિ એ કોકમનો અડધ લેક ફેરવી નાંખ્યો હતો અને તે લેકને ___“आत्मवत् सर्वभूतेषु-सुखदुःखे प्रियाप्रिये" આ પ્રમાણે ગોઠવ્યો હતો. સાચે દ્રષ્ટા કાણુ થઈ શકે? તમે જે તમારા પિતાના આત્માને દેખે છે તે જ પ્રમાણે સર્વજના સમુદાયને દેખે.” તમે એ પ્રમાણે જ્યારે જોતાં શીખશે ત્યારે જ તમે સાચા દેખનારા ગણી શકશો. એ વાકય બલવામાં ઘણું સુંદર છે પણ તત્ત્વતઃ એ એટલું સુંદર નથી. આપણે કારણ ત્યાં જ માનીએ છીએ કે જ્યાં કાર્ય થતું દેખીએ છીએ, તે જ પ્રમાણે આખું જગત આંખેવાળું હોઈ તે આખું જગત દેખે છે; પરંતુ ખરેખરા દેખીરા તેઓ જ છે કે જેઓ સઘળા જ જેની અંદર પિતાના આત્માના જેવો જ આત્મા દેખે છે. જે પિતાને આત્મા તે પર આત્મા, અને જે પર આત્મા તે જ પોતાને આત્મા. આ વાત જેઓ જાણે છે અને જેમણે એ વાત વિચાર, વાણી ને વર્તનમાં ઉતારી છે તે જ સાચા દ્રષ્ટા છે, આ વાત બોલવામાં કેવળ સારી લાગે છે, તેના શબ્દો સુંદર છે પરંતુ જ્યારે અંદર ઊતરીને જોઈએ છીએ ત્યારે માલૂમ પડે છે કે તેનું હાર્દ એવું સુંદર નથી.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy