SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકારના ભાવ ૨૫૦ નરક ગતિમાં વધારે જ્ઞાન કેમ? પ્રશ્ન-નરક ગતિ હલકી છતાં ત્યાં જ્ઞાન વધારે કેમ? સમાધાન–પકડાયેલા ગુનેગારની માવજત સરકારને કરવી પડે છે. ગુનેગારને ગુનાની સજા ભોગવાવવી જોઈએ માટે સરકાર ડાકટર લાવી પછી ગુનેગારને ફાંસી દે છેઃ મુદ્દો એ છે કે સમજણે કરેલા ગુનાની સજા સમજણમાં કરવાની છે, પાપ કરનારમાં વધારેમાં વધારે જ્ઞાનવાળા કેટલા? કેવળી પાપ બાંધે જ નહિ તેમ તેમને પુણ્ય પણ ટકતું નથી. મન પર્યાવજ્ઞાનવાળા અપ્રમાદી સાધુને અંગે પણ પાપને પ્રશ્ન નથી. મતિ; શ્રુત, અવધિ કે વિભંગ, આ ત્રણ જ્ઞાનમાં કરેલા પાપની સજા ભગવતી વખતે તેટલા પૂરતી (ત્રણ જ્ઞાન જેટલી) તે સાવચેતી જોઈએને! સાવચેતીથી કરેલા ખૂનને અંગે કલેરફેમ સુંઘાડી ફાંસી દેવામાં આવતી નથી ? ઊલટો જે ખૂની બેભાન થયેલ હોય તો તેને ભાનમાં લાવીને પછી સજા કરે છે. જે કે અત્યારે અવધિજ્ઞાનને વિચ્છેદ નથી પણ તે માનવાને અવકાશ નથીઃ હોય એમ માની શકીએ પણ છે એવું માનીએ કયારે ? પરીક્ષામાં પસાર થાય ત્યારે ! સજા વખતે સાવચેતી જોઈએ, માટે નારીને ત્રણ જ્ઞાન નિયમિત છે. સમ્યગદષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ બન્નેને નારકીમાં ક્ષેત્રવેદના સમાન છેઃ પરમાધામીકૃત તથા પરસ્પરકૃત દુઃખ સમ્યગૃષ્ટિને ઓછાં છે પણ પશ્ચાત્તાપનું દુખ એવું જબરદસ્ત છે કે ન પૂછો વાત!!! દુનિયાદારીમાં દેખાય છે કે ભાણામાં પાંચે પફવાન પડેલા છે, પણ જમતી વખતેય આબરૂ જવાનું દુઃખ એના હૃદયમાં કેવું હોય છે ! પોતે મનુષ્યભવ હારી ગયે, ધર્મ ને આરાધી શ, ઊલટે નર્કમાં આવ્યો એના પશ્ચાત્તાપનું દુખ સમ્યગદષ્ટિ નારકને આટલું બધું હોય છે કે તેની પાસે બીજાં દુખે કાંઈ હિસાબમાં નથી ! જ્યારે નારકીને આટલું દુઃખ થાય તે તેના મનોરથ કેવા હેવા જોઈએ ? કારણ કે મને રથ વગર આટલું થાય નહિ ! પણ દરિદ્રીના મને રથ કૂવાની છાંયડી જેવા હોય છે. તિર્યંચની ગતિમાં, પિતાને
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy