SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ - આનંદ પ્રવચન દર્શન અને બીજું ઝવેરાત તે આત્માનું. દુનિયા જડ દેહનું ઝવેરાત સંગ્રહ છે, પણ આત્માનું ઝવેરાત જે સમ્યકત્વ છે તેને સંગ્રહતાં નથી આવડતું. જડ ઝવેરાત કને ભાવે? શું તમે એમ માને છે કે જડ ઝવેરાતથી તમારો આત્મા શોભે છે? જે આવી કેઈની માન્યતા હોય તે એ ખ્યાલ મગજમાંથી કાઢી નાંખો ! હવે આગળ વિચારો : પેલે. અનાર્ય રાજા ઝવેરી તરીકે ભગવાનને ઓળખીને તેમની પાસે જાય છે અને આત્માનું ઝવેરાત મેળવે છે, ભગવાન પાસે પ્રતિબંધ પામે છે અને એ રીતે પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરે છે! અહીં પેલા જૈન ઝવેરીની સ્થિતિ વિચારે. તેને એક જબરદસ્ત ઘરાક ગયેલ દલાલી ધૂળ મળી ગઈ. પણ તેની તેને દરકાર ન હતી ! કારણ શું? દરકાર કેમ ન હતી! કહેવું જ પડશે કે ધર્મ તેના હદયમાં દઢપણે યથાસ્વરૂપે ઠસેલે હતે ! પ્રભાવના શા માટે? પ્રભાવના શા માટે કરવામાં આવે છે? શાસનને ઉદ્યોત કરવાને માટે જ ! તમારી ફરજ શાસનને ઉદ્યોત કરવાની જ છે ! પણ ત્યારે શું તમે શાસનને ઉદ્યોત કરતા ન જ હતા, ત્યાં સુધી શાસન અંધારામાં હતું ? નહિ જ! એ તે પોતાના સ્વભાવને જેરે જ પ્રભાવવાળું છે. એવા મહાપ્રભાવી શાસનને જે પિતે સમજે, તેમાં રસ લે અને તેમાં બીજાને રસ લેતા બનાવે એ સમ્યક્ત્વને શોભાવનારું બીજું આભૂષણ છે. ભક્તિ પણ જોઈએ? સમ્યકત્વને શોભાવનારું ત્રીજું આભૂષણ એ છે કે આખા જગતને ક્યારે આ શાસનના શરણે લાવું? આવી. પવિત્ર ભાવના ! એ સમ્યકત્વને શોભાવનારું ત્રીજું આભૂષણ છે. ચેથું આભૂષણ તે ભક્તિ છે! એક માણસ ૨૫ની જગ્યાએ ૧૦૦
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy