SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દેવની આરાધના ૧૮૭ દેષદાહ જરૂર થશે. જીવાજીવાદિક તત્ત્વોની વાત કરે. પ્રકૃતિએ ગણે પણ આત્માને પૂછે કે આશ્રવ અને બંધને દાહ દિલમાં છે ? એ તપાસો. આશ્રય અને બંધને દાહ!!! મુનિમગીરીના ચેપડા લે કે શાસ્ત્રકાર આમ કહે છે. શાસ્ત્રકારે આમ જણાવ્યું છે, આમ પ્રકાર્યું છે, પણ આપણે કંઈ લેવાદેવા નથી, તારું આમ થઈ રહ્યું છે એ બોલતાં શીખે. આત્મા પર જોખમદારી લાવે. પાંચ ઇંદ્રિય, પાંચ અવતા, અને ચાર કષાયો કર્મના ઢગલા કરી રહ્યા છે. હવે મારું શું થશે! વકીલ અસીલની જોખમદારી જેવું અહીં નથી. અસીલને લાભમાં હુકમનામું થાય અગર ડીકી થાય તેમાં વકીલને વાંકે વાળ થતું નથી. શાસ્ત્રકાર તરફ જોખમદારીનું નામું શું? જિનપન્નત્ત. અમારે કહેવું નથી !. જિનેશ્વરે કહેલું છે. શું ત્યારે અમારે મુનિમગીરી કર્યા જ કરવી? હા. કેમ પાલવશે ?' જિનેશ્વરે કહેલું તે વાસ્તવિક છે. જિનેશ્વરે જે વચન ઉચ્ચાર્યા તે આત્મને જકડવાવાળાં છે, ઘેરવાવાળા છે” એમ ન બેલે. “જિનપન્નત્ત” કહેવું એ જોખમરારીમાં ઉતારવા માટે નહિ. આવું આચર્યું, ઉપદેર્યું અને અમારા જાણવામાં આવે. તેથી “જિનપન્નત્ત' શબ્દ જોખમદારી ઉતારવા માટે નથી. સારા-ખરાબ ઈલ્કાબ આપવા માટે તે નથી. “જગતને જણાવ્યું છે” એમ બેલતાં પહેલાં મારા આત્માની વાત કરી છે. વૈદ્ય રોગ પારખે અને દવા પણ આપી, છતાં હું હીણભાગી દવા લઈ શકતા નથી. આત્માને રોગ પારખે છે. રેગ કર્યો ? ભવમાં ભટકવાને રોગ- વેવ-દાકતરને ત્યાં જનાર નિયમિત દવા કે ચરી ન પાળે તેવા દરદી હાંસીપાત્ર ઠરે તેમાં નવાઈ જેવું નથી. આ ત્રણ લેકના પ્રસિદ્ધ વૈદ્ય દવા નકકી કરી, એમણે આપણને દવા આપી પણ આપણે દવા કરવી જ નથી ભગવાન પાસે જાઓ છો ત્યાં તમે કેવાં વિશેષણથી તેમને વધારે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy