SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૪ ] પૂજ્ય બાપાશ્રી માલશીબાપાને તે અમેાએ જોયા પણ ન હતા તેમના વિષે તે શુ લખયે ? પણ અમારા પૂજ્ય પિતાશ્રો ઉમરશીભાઇ વિષે વિચાર કરતાં તેમણે જીવન જીવી જાણ્યું એટલું તે ચાક્કસ લાગે છે. તેમણે પૂજ્ય બાપાશ્રીના જીવનમાંથી જે લીધું તે પોતે જીવનમાં પૂરેપૂરૂં પચાવી શકયા. તેમણે છબીમાં મઢાવીને લખી રાખેલ છે કે ‘જો તારે સુખી થાવું હોય તે સાદુ' ઘર, સાદા ખારાક અને સાદું જીવન ગાળજે.’ એ વાતને તેમણે પોતાના સમગ્ર જીવનમાં ખરાખર આચરણથી સાચી કરી બતાવી. તેમણે પાનખર તથા વસતના પૂર બહારના દિવસેા પણ જોયા. પણ કેઈપણુ વખતે મૂળીયાં સૂકાવા ન દીધાં. હંમેશાં હસતા અને સહુ સાથે મલતાવડા સ્વભાવથી તેઓ બધાને પેાતાના કરી લેતા. મને બરાબર યાદ છે કે અમે બન્ને ભાઇયે બીજી ચેપડી ભણતા હતા ત્યારે તેએ કપાસીને (રૂઉના) માટે ઘરૂ વેપાર કરતા હતા. અમારે ત્યાં મુંબઈના વેપારીયા (આડતીયા પૂ. પટેલ બાપા તથા બીજા પણ સગાસબધીયાની અવરજવર જોરમાં રહેતી હતી. પછી એકાએક કુદરતે નુકસાનીમાં ધરૂ વેપાર બધ થયા. નુકસાનીમાં દિવાળું ન કાઢતાં મારા પૂજ્ય માતાજીના અંગઉપરનાં ઘરેણા વેચીને પણ આખરૂ ન જવા દીધી. અને તેવા કપરા જોગેામાં મારા પૂજ્ય માતાજીએ જે ઉચ્ચ મનેાખળથી પેાતાની નાદુરસ્ત તબીયતમાં પણ જે બહાદુરીભર્યાં ખાર બાર વરસ સુધીના કાળ પ્રતિકુલ સ ંજોગામાં કાઢયા છે તેની યાદ આવતાં જ રેશમાંચ અનુભવાય છે.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy