________________
પતિજીની પ્રતિભા
( ૨૩૫ ) તેમના આત્માને પરમ શાંતિ અર્પે. એટલું જણાવીને વિરમું છું.
લી. નેહાધીન, સંત ચરણે પાસક, પંડિત જયંતિલાલ જાદવજી
ના નેહવંદન સ્વીકારશોજી. ( આ પત્ર લખનારનું નામ છે પંડિત જયંતિલાલ. તેઓ સંસ્કૃત સારું જાણે છે અને આગમન જાણું છે. શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત છે અને અજોડ વક્તા છે. )
૨૨
મુંબઈ તા. ૨૩-૪-૫૯ પૂજ્ય બાપુજી,
અથાગ શ્રમ વેઠીને આ ઉંમરે પંડિત શ્રી લાલનનું જીવન ચરિત્ર આપ પ્રગટ કરે છે એ ખરેખર ! યુવાનને પણ શરમાવે એ આપને અથાગ શ્રમ સૌ કૅઈને આપની કર્તવ્ય પાલનતા માટે આપના પ્રત્યે આદર ઉત્પન્ન કરે એવી સત્ય હકીકત છે. મારા કમ ભાગ્યે સ્વ. પંડિતજીની સાથે રૂબરૂ મળવાને પ્રસંગ મને સાંપડ્યો ન હતો છતાં એઓશ્રીની સુવાસ સમસ્ત જૈન આલમમાં પસરેલી હતી. એઓશ્રીએ કરેલ શાસનની પ્રભાવના સૌ કેઇની પ્રશંસા માગી લે છે, આપને આ પ્રયાસ સફળ નીવડે. એવી શાસન દેવ પ્રત્યે અભ્યર્થના.
લી. આપનો ગુણાનુરાગી, પ્રેમજી ઉકેડા શાહ
ના વંદન,