SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૪ ) પડિત લાલન અને શ્રદ્ધાની જ્વલંત મૂર્તિ હતા. પરમ જ્ઞાની શ્રીમદ્ રાયચ'દ્રજી અને વિશ્વવ દનિય મહાત્મા ગાંધીજી પ્રત્યે તેમને અપૂર્વ ગૌરવ, પ્રેમ અને સન્માન હતાં. સામાજીક, વ્યવહારિક, નૈતિક, રાષ્ટ્રિય, ધાર્મિક અને આધ્યાત્મિક સુધારાના તેઓ ઉચ્ચ અને આદશ સુધારક હતા. કાઇ પણ દર્શનની વ્યાખ્યા કરતા વા સમાલેાચના કરતાં મધ્યસ્થતા, નિષ્પક્ષપાતતા અને વિધાયક શૈલીથી વ્યાખ્યા કરતા કે કોઈ પણ દનના અનુયાયીને જરા પણું દુઃખ થતું ન હતુ`. તેઓશ્રી એમ કહેતા કે એક થાળીમાં સો ખાટા કાચના કકડા સાથે એક જ સાચા હીરા પડેલા હાય અને આપણને કોઇ પૂછે કે આ થાળીમાં સાચા હીરા કયો છે ? તે અકેક કાચના કટકાને ઉપાડી ઉપાડીને આ કાચના કટકા ખાટા છે, આ એ ખોટા છે એમ સે। વખત કહેવામાં શ્રમ, શક્તિ અને સમયના નિરક વ્યય કરવા તે વિઘાતક ભાષાનું લક્ષણ છે. થાળી તરફ તેના કરતાં ખારીક દૃષ્ટિથી જોઇને નિરીક્ષણ કરીને આ થાળીમાં ફક્ત હીરા એક જ આ જ છે એમ વિધાયક શૈલીથી કહેવામાં આવે તે પણ સમજનાર સુગમતાથી સમજી શકશે અને આપણા શ્રમ, શક્તિ અને સમયને સાથે સાથે બચાવ પણ થશે. જૈન સમાજને આવા વિદ્વાન, વયેવૃદ્ધ પડિતની ઘણી જ ન પૂરાય તેવી ખાટ પડી છે, અનંત દયાળુ પરમાત્મા
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy