________________
(૨૦) આ પ્રમાણે પિતાના સ્વામીનાં વચન સાંભળીને તેર કાઠિયાઓ સાવધાન થઈ ગયા. “હે જીવ! વિચાર કર કે જે સાંસારિક વસ્તુ જાડી-અ૫ કાળ રહે. વાવાળી ને પરિણામે દુઃખને આપવાવાળી જાણતો છતો ધર્મનું શ્રવણ છોડીને જૂઠી વસ્તુમાં રાત-દિવસ અલમસ્તની માફક ભટક્યા કરે છે, ભાન ભૂલી જાય છે અને તને આ તેર કાઠિયા ધર્મશ્રવણ કરતાં બહુ જ વિન્ન કરે છે. બરાબર મનનપૂર્વક તેર કઠિયાનું સ્વરૂપ વિચાર છે કે કેટલું તેનું જોર છે? તેની તને ખબર પડશે. ત્યારે તને અનુભવથી પણ ખાત્રી થશે કે, એ ખરેખરા વિન્ન કરવાવાળા છે. તેને પક્ષ ચેર સમજવા. જેમ લૌકિક વ્યવહારમાં માગમાં ચેર મળે ત્યારે સર્વ ધન લૂંટી લે તેવી જ રીતે આ તેર કાઠિયારૂપી જે કટ્ટા ચાર ધર્મરૂપી ધનને લૂંટી લેવામાં બાકી રાખતા નથી, તે બરાબર સમજી તે કાઠિયાના ફંદમાં ફસાઈશ નહિ.” - તેર કાઠિયાનું સ્વરૂપ
પ્રથમ આળસ કાઠિયાએ ઊભા થઈને કહ્યું: ‘તમારે તમામને પ્રયાસ લેવાની જરૂર નથી, હું એકલો જ તે જીવને જિનરાજના ઉમરાવ પાસે જતાં અટકાવું છું” એમ કહી તરત જ પેલે આળસ કાઠિયે ગુરુ મહારાજ પાસે જવાની ઈચ્છા કરનારની શરીરમાં પેઠે, ત્યારે તેને ગુરુ મહારાજ પાસે જતાં આળસ થવા લાગી. દિલ મરડવા માંડયું, ને મંદતા આવવા લાગી. વિચારે બદલાયું કે“આજ તે વ્યાખ્યાનમાં નહિ જઈએ, કાલે જઈશું.’ આ કાઠિયાએ
૧ નજરે ન દેખાય તે.