________________
(૧૯) નિગદમાં પણ ચાલ્યા ગયે ફરી પાછી પ્રથમ બતાવેલી દશા પ્રાપ્ત થઈ. દુઃખની શ્રેણીઓ ઉપસ્થિત થઈ. ઘણું દુઃખોને સહન કરી પ્રથમ બતાવેલા ક્રમ પ્રમાણે ચડતાં ચડતાં, ઘણા જન્મ-મરણના ફેરા કરતો અનંત પુણ્યની રાશિ વધવાથી મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, નીરોગી શરીર, પાંચે ઈનિદ્રયની પટુતા વગેરે ઘણું ઉત્તરોત્તર સારી સામગ્રી મળી, વીતરાગ પરમાત્માના વચનને શ્રવણ કરવાની ભાવના પણ થઈ.
સગુરુને સંયોગ મળે સદ્ગુરુ પાસે ધર્મ સાંભળવા તૈયાર થયો. ત્યારે મહારાજા તે વાત જાણીને વિચારવા લાગે કે –“આ પ્રાણી જે ધર્મ સાંભળશે તે ધર્મ કરીને મુક્તિપુરીમાં પહોંચશેમહાસુખ પામશે, માટે તે પ્રાણું કઈ રીતે ધર્મ સાંભળવા જઈ ન શકે તે કરું.” એમ વિચારી તુરત જ મેહ. રાજાએ પિતાના તેર ઉમરાને લાવ્યા. તેઓ આજ્ઞા થતાં જ હાજર થયા. એટલે મહારાજાએ તેઓને કહ્યું -
અરે સુભ ! તમે જાઓ, મારા નગરમાં જિનરાજને એક ઉમરાવ આવ્યો છે. તેની પાસે ઘણું લોકે ધર્મ સાંભળવા ઈચછા ધરાવે છે, માટે તમે ત્યાં જઈ તેઓને અટકાવે, વિધ્ર કરે. ધર્મ સાંભળવા દેશે નહિ. કારણ કે તે ધર્મ સાંભળશે, તે ધર્મ કરવા તત્પર થશે ને આપણું ઉપરથી પ્રેમને તેડી તે આવેલા ધર્મરાજાના ઉમરાવની સેવા કરશે અને અનુક્રમે આપણું વેરી થઈ આપણે જ વિનાશ કરશે માટે આ કાર્યમાં ઢીલ કરવા જેવું નથી. આ કાર્ય જલદી કરે.