________________
( ૧૨ )
વેશ્યા તથા પરસ્ત્રીગમન તજવું, જુગટે રમવું નહિ. શિકાર કરે નહિ. ચોરી કરવી નહિ. ઘણી જીવહિંસા થાય તેવો વ્યાપાર કરે નહિ. કેઈન પ્રાણ જાય તેવું જૂઠું બોલવું નહિ. બની શકે ત્યાં સુધી લેશમાત્ર પણ જૂઠું બોલવું નહિ. માંસ, મદિરા, મધ ને માખણ વગેરે અભક્ષ્ય પદાર્થો ખાવા નહિ. દીન-ગરીબને ઉદ્ધાર કરે. કેઈએ આપણા પર કરેલા ગુણને યાદ કરવાનું ભૂલી જવા નહિ. દાક્ષિણ્યપણું રાખવું ઈત્યાદિ શિષ્ટાચાર કહેવાય. તે તે શિષ્ટાચારની પ્રશંસા કરવાવાળા થવું, એ બીજો ગુણ જાણવે.
૩ ત્રીજો ગુણ સરખાં કુળ-શીલ અને ધર્માચારવાળા સાથે વિવાહ કરે. પરંતુ એક ગોત્રી સાથે કરવો નહિ.
ગશાસ્ત્ર વગેરેમાં નિષેધ કરેલ છે. સ્ત્રી તથા પતિને એક જ ધર્મ હોય તે ધર્મ સંબંધી તકરાર ઊઠવાને સંભવ રહે નહિ અને ધર્મકાર્ય કરવામાં પરસ્પર સાધનભૂત થઈ પડે, જેથી પરલોક પણ સુધરી શકે.
૪. પાપભીરુ–કહેતાં સર્વ પ્રકારના પાપથી ડરવું, કારણકે પાપકરવાથી આ લેકમાં નિંદા થાય અને પરલોકમાં નરકાદિ દુઓ ભેગવવાં પડે, માટે પાપથી બહુ ડરવું. .
પ. દેશાચાર સમાચરનુ-કહેતાં દેશાચાર પ્રમાણે વર્તવું. જે દેશમાં વસતા હોઈએ તે દેશમાં જે જે કાર્ય કરવાં, તે એવાં કરવાં કે જેથી નિંદાપાત્ર ન થવાય. વસ્ત્રઆભૂષણ, ઇશનપાનાદિ દેશની રીતિ પ્રમાણે કરવું. જે દેશમાં જેવાં વસ્ત્ર પહેરાતાં હોય, તે છોડી બીજા દેશની રીતનાં પહેરવાં નહિ.