________________ 292 કિટ્ટિકરણોદ્ધા 1) સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત ઉદયનો ચરમસમય થાય છે. 3) સંજવલન માયા-લોભનો સ્થિતિબંધ દેશોન 2 દિવસ પ્રમાણ થાય છે. 4) સંજવલન માયા-લોભની સ્થિતિસત્તા દેશોન 16 માસ પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષથર્વ પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. - પ્રકૃતિ | સ્થિતિબંધ સ્થિતિસત્તા સંજવલન બે દેશોન 20 દિવસ દેશોન 16 માસ શેષ ઘાતી ત્રણ વર્ષપૃથક્વ સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ 9) સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિના પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલ દલિક સિવાયના શેષ દ્રવ્યનો નાશ થાય છે, એટલે કે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ સર્વદ્રવ્ય સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધસ્તનકિટ્ટિઓરૂપે પરિણમે છે. આમ થતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિનું સર્વદ્રવ્ય જે પૂર્વે હતુ તેના કરતા લગભગ 21 ગણ થાય, કેમકે સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિનું લગભગ 20 ગુણ દ્રવ્ય તેમાં આવ્યું. આમ સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજ્વલન માયાની ત્રીજી સંગ્રહકિષ્ટિની વેદના - સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિનું દલિક ખેંચી તેની સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા કરતા એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે અને વેદે છે. અહીં પણ બધો અધિકાર પહેલાની જેમ જાણી લેવો. સંક્રમવિધિ અને સંગ્રહકિઠ્ઠિઓની અવાંતરકિક્રિઓનું તથા તેના દલિકનું અલ્પબદુત્વ યથાસંભવ જાણી લેવુ. સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓનું અલ્પબદુત્વ નીચે પ્રમાણે છે - 1) સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે.