________________ 291 કિટ્ટિવેદનાદ્ધા 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. [ પ્રકૃતિ | સ્થિતિબંધ | સ્થિતિસત્તા સંજવલન બે | દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) 25 દિવસ દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) ૨૦માસ શેષ ઘાતી ત્રણ વર્ષપૃથક્વ સંખ્યાતા હજાર વર્ષ | અધાતી ત્રણ | સંખ્યાતા હજાર વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ 9) સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિના પ્રથમ સ્થિતિની ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલ દલિક સિવાયના શેષ દ્રવ્યનો નાશ થાય છે, એટલે કે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ સર્વ દ્રવ્ય સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓરૂપે પરિણમે છે. આમ થતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિનું સર્વદ્રવ્ય જે પૂર્વે હતુ તેના કરતા લગભગ 20 ગણુ થાય, કેમકે સંજવલન માયાની સંગ્રહકિષ્ટિનું લગભગ 19 ગુણ દ્રવ્ય તેમાં આવ્યું. આમ સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજ્વલન માયાની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા - સંજવલન માયાની સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિનું દલિક ખેંચી તેની સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા કરતા એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમસ્થિતિ કરે છે અને વેદે છે. અહીં પણ બધો અધિકાર પૂર્વની જેમ જાણી લેવો. સંક્રમવિધિ અને સંગ્રહકિઠ્ઠિઓની અવાંતરકિઠ્ઠિઓ તથા તેના દલિકોના અલ્પબદુત્વો યથાસંભવ જાણી લેવા. સંગ્રહકિટિની અવાંતરકિટિઓનું અલ્પબદુત્વ નીચે પ્રમાણે છે - 1) સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિટિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઓિ વિશેષાધિક છે. 5) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે