________________ 288 કિટ્ટિકરણોદ્ધા 5) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. [ પ્રકતિ | સ્થિતિબંધ સ્થિતિ સત્તા સંજવલન ત્રણ | દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) 40 દિવસ દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) 32 માસ શેષ ઘાતી ત્રણ વર્ષપૃથક્વ સંખ્યાતા હજાર વર્ષ | અઘાતી ત્રણ | સંખ્યાતા હજાર વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ 9) સંજવલન માનની બીજી સંગ્રહકિટિના પ્રથમ સ્થિતિના ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકાના બંધાયેલા દલિક સિવાયના શેષ સર્વ દલિકોનો નાશ થાય છે, એટલે કે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ સર્વદ્રવ્ય સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધતનકિષ્ટિરૂપે પરિણમે છે. આમ થતા સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિનું સર્વ દ્રવ્ય પહેલા હતુ તેના કરતા લગભગ અઢારગણું થાય છે, કેમકે સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિનું લગભગ 17 ગણુ દ્રવ્ય તેમાં આવે છે. આમ સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજવલન માનની ત્રીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા - સંજવલન માનની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિના દલિકો બીજી સ્થિતિમાંથી ખેંચી તેની સંજવલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધાથી એક આવલિકા અધિક જેટલી પ્રથમસ્થિતિ કરે છે અને તેને વેદે છે. અહીં પણ બધો અધિકાર પહેલાની જેમ જાણી લેવો. સંક્રમવિધિ અને સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અને તેના દલિકોના અલ્પબદુત્વો યથાસંભવ જાણવા. સંગ્રહકિટ્ટિની અવાંતરકિટિઓનું અલ્પબહુત આ પ્રમાણે છે - 1) સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 5) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે.