________________ 287 કિટિંવેદનાદ્ધા સર્વદ્રવ્ય સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીનરસવાળી અપૂર્વઅધસ્તનકિટ્ટિરૂપે પરિણમે છે. આમ થતા સંજવલન માનની બીજી સંગ્રહકિષ્ટિનું સર્વ દ્રવ્ય પૂર્વે હતુ તે કરતા લગભગ 17 ગણુ થાય, કેમકે સંજવલન માનની પ્રથમ સંગ્રહકિષ્ટિનું લગભગ 16 ગણુ દ્રવ્ય તેમાં આવ્યું. આમ સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંવલન માનની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધા - સંજવલન માનની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિનું દલિક બીજી સ્થિતિમાંથી ખેંચી તેની સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા કરતા એક આવલિકા અધિકકાળ જેટલી પ્રથમસ્થિતિ કરે છે અને તેને વેદે છે. અહીં પણ બધો અધિકાર પહેલાની જેમ જાણી લેવો. સંક્રમવિધિ અને સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અને તેના દલિકોના અલ્પબદુત્વો યથાસંભવ જાણી લેવા. સંગ્રહકિષ્ટિની અવાંતરકિટિઓનું અલ્પબદુત્વ નીચે મુજબ છે - 1) સંજવેલન માનની ત્રીજી સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માયાની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિટ્ટિઓ વિશેષાધિક છે. 5) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 6) તેના કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 7) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 8) તેના કરતા સંજવલન માનની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંજવલન માનની બીજી સંગ્રહકિટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન માનની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન માનની બીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન માનની બીજી સંગ્રહકિષ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત ઉદયનો ચરમસમય થાય છે. 3) સંજવલન ત્રણનો સ્થિતિબંધ દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) 40 દિવસ પ્રમાણ થાય છે. 4) સંજવલન ત્રણની સ્થિતિસત્તા દેશોન (અંતર્મુહૂર્ત ન્યૂન) 32 માસ પ્રમાણ થાય છે. 1-2. અહીં કષાયમામૃતાચૂર્ણિમાં દેશોન કહ્યું છે, પણાસારમાં અંતર્મુહૂર્ત ન્યૂન કહ્યું છે, બન્નેનો અર્થ એક જ હોય એમ લાગે છે.